SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૬ હોય છે. આ આત્મા જ “જિન” કહેવાય છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા આવા જિન” હતા. આથી તેમને ઉપદેશ અવિરુદ્ધ છે. સૂફમ, નિર્મળ અને ઉત્કૃષ્ટ બુદ્ધિવાળાને ભગવાન મહાવીરના વચન યથાર્થ અને વિરોધરહિત પ્રતીત થાય છે. જિન” કેવી રીતે બનાય? પરમાત્મા મહાવીર જિન બન્યા હતા. “જિન” એટલે વિજેતા મહાવીર સ્વામી વિજેતા બન્યા હતા . અનંત અનંત જન્મથી આત્મભૂમિ પર અડ્ડો જમાવીને બેઠેલા રાગ અને દ્રષ, મેહ અને અજ્ઞાન ઈત્યાદિ અસંખ્ય શત્રુઓની સાથે તેઓ લડવા. તેમની સાથે ભીષણ યુદ્ધ કર્યું અને એ શત્રુઓને પિતાની આત્મભૂમિ પરથી મારી હટાવીને આત્મસ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું આમ તે આત્મપી–આત્મવિજેતા બન્યા. અંતરંગ શત્રુઓ સાથે મહાવીરે મહાવીર બનીને જે પ્રચંડ યુદ્ધ કર્યું હતું, તેને રોમાંચક ઈતિહાસ તમે વા, તે તમને યથાર્થ ખ્યાલ આવશે કે “જિન” કેમ બનાય છે? માત્ર નાચવા કૃદવાથી કે ભાષણ કરવાથી “જિન” નથી બની શકાતું ! તવ પ્રતિપાદનમાં સર્વજ્ઞતા અનિવાર્ય : જે જિન નથી, જેઓએ પિતાના રાગ-દ્વેષ અને અજ્ઞાનને સમૂળો નાશ નથી કર્યો, તેમનું વચન “અવિરુદ્ધ નથી હતું. તેમના વચન એક્ષ-માર્ગથી વિરુદ્ધ, આત્મકલ્યાણથી વિરુધ્ધ હોય છે. અરે ! એટલું જ નહિં, ખૂદ તેમના જ વચન પરસ્પર વિરોધી હોય છે. હા. જે સર્વજ્ઞ ન હતા અને વૈરાગ્યની વાત બતાવનાર હતા, તેમને ઉપદેશ કલ્યાણ-પ્રેરિત હતું, ત્યાગ અને વૈરાગ્યની વાતે બતાવનાર હતું, કામકેધાદિ આંતરશત્રુઓ પર વિજય મેળવવા માટે હવે, પરંતુ તેઓ સર્વજ્ઞ ન હતા. જિન ન હતા, આથી અગેચર-અતીન્દ્રિય “આત્મા”, “કમ જેવા તને યથાર્થ ન બતાવી શકયા. આત્મા વગેરે અતીન્દ્રિય તત્તના તેમના પ્રતિપાદનમાં વિરોધ આવી ગયે. તકની કટીમાં તે પાસ ન થયા. અનુભવ જ્ઞાનમાં પણ એ ૩ ત તેમના બતાવ્યા પ્રમાણે સાબિત ન થયાં. કપિલ, બુદ્ધ, ઈસુ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy