SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ હાવા છતાં થાડીવાર દલીલ ખાતર એમ માની લેવામાં આવે કે એ સ્વાષજ્ઞ નથી; તેા પણ એટલું નિર્વિવાદ કહી શકાય તેમ છે. કે, ભાષ્ય એ સર્વાસિદ્ધિ કરતાં પ્રાચીન અને ક્રાઈ રૂઢ શ્વેતાંબરીય નહિ એવા તટસ્થ વિદ્વાન દ્વારા લખાયેલી તત્ત્વા સૂત્ર ઉપરની પ્રથમ જ ટીકા છે; એટલે કે તે સૌ સિદ્ધિ જેવું સાંપ્રદાયિક નથી. આ મુદ્દો સમજવા માટે અહી ત્રણ ખાખતાની પર્યાલેાચના કરવામાં આવે છે ૧. શૈલીભેદ, ૨. અવિકાસ, અને ૩, સાંપ્રદાયિકતા, ૧. શૈલીભેદ : કાઈ પણ એક જ સૂત્ર ઉપરનું ભાષ્ય અને તેની સર્વાસિદ્ધિ સામે રાખી સરખામણીની દૃષ્ટિએ જોનાર અભ્યાસીને એમ જણાયા વિના કદી જ નહિ રહે કે, સવાર્થસિદ્ધિ કરતાં ભાષ્યની શૈલી પ્રાચીન છે અને ડગલે અને પગલે સૌથસિદ્ધિમાં ભાષ્યનુ પ્રતિબિંમ છે. એ અને રીકાઓથી જુદી અને અંતેથી પ્રાચીન એવી ત્રીજી ક્રાઈ ટીકા તત્ત્વા સૂત્ર ઉપર હેાત્રાનુ પ્રમાણ ન મળે, ત્યાં સુધી ભાષ્ય અને સુવાર્થસિદ્ધિની સરખામણી કરનાર એમ કહ્યા વિના કદી જ નહિ રહે કે, ભાષ્યને સામે રાખી સૌથસિદ્ધિની રચના કરવામાં આવી છે. ભાષ્યની શૈલી પ્રસન્ન અને ગંભીર હૈાવા છતાં, દાર્શનિકત્વની દૃષ્ટિએ સવાસિદ્ધિની શૈલી ભાષ્યની શૈલી કરતાં વધારે વિકસિત અને વધારે ખેડાયેલી છે એમ ચેાખ્ખુ લાગે છે. સંરકૃત ભાષામાં લેખન અને દાર્જીનિક શૈલીને જૈનસાહિત્યમાં જે વિકાસ થયા પછી સૌ સિદ્ધિ લખાઈ છે, તે નિકાસ ભાષ્યમાં દેખાતા નથી; તેમ છતાં એ તેને ભાષામાં જે ભિખપ્રતિબિંબભાવ છે તે સ્પષ્ટ સૂચવે છે કે, બંનેમાં ભાષ્ય જ પ્રાચીન છે. D
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy