SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ક , દિગબરીય વિધાતાને વિદ્વાન પૂજ્યપાદ પહેલાં ફક્ત શિવકાટિ જ થયાનું સૂચન મળે છે. તેમની જ દિગબરીયત્વ સમર્થક સર્વાર્થસિદ્ધિ નામની તસ્વાર્થ વ્યાખ્યા પછીના બધા દિગંબરીય વિકાનેને આધારભૂત થઈ છે. ભટ્ટ અકબંક વિક્રમના આઠમા-નવમા સૈકાના વિદ્વાન છે. “સવાર્થસિદ્ધિ' પછી તત્વાર્થ ઉપર એમની જ વ્યાખ્યા મળે છે, જે “રાજવાર્તિકના નામથી મદ જાણીતી છે. જૈન ન્યાયપ્રસ્થાપક વિશિષ્ટ ગણ્યાગાંડ્યા વિદ્વાનોમાંના એ એક છે. તેમની કેટલીક કૃતિઓ ઉપલબ્ધ છે, જે દરેક જૈન ન્યાયના અભ્યાસી માટે મહત્વની છે. વિદ્યાનંદનું બીજું નામ “પાત્રકેસરી' જાણીતું છે. પરંતુ પાત્રકેસરી વિદાનંદથી જુદા હતા, એ વિચાર હાલમાં જ ૫. જુગલકિશોરજીએ પ્રસ્તુત કર્યો છે. विद्यानंद તેના સ્પષ્ટીકરણ માટે તેમના અનેકાન્ત' માસિકપત્રનું પ્રથમ વર્ષનું બીજું કિરણ જેવું જોઈએ. તેઓ વિમાનવામા-દશમા સૈકામાં થયેલા છે. તેમની કેટલીક કૃતિઓ ઉપલબ્ધ છે. તેઓ ભારતીય દર્શનેના વિશિષ્ટ ૧. શિવાટિકૃત તત્વાર્થ વ્યાખ્યા કે તેને ઉતારો વગેરે આજે ઉપલબ્ધ નથી. તેમણે તત્ત્વાર્થ ઉ૫૨ કાંઈક લખ્યું હતું એવું સૂચન કેટલાક અર્વાચીન શિલાલેખમાંની પ્રશસ્તિ ઉપરથી થાય છે શિવટે સમતભઢના શિષ્ય હોવાની માન્યતા છે. જુઓ, “સ્વામી સમતભદ્ર” પૃ૦ ૯૬. ૨. જુઓ, ન્યાકુમુદચંદ્રની પ્રસ્તાવના. , જુઓ “અષસહસ્ત્રી” અને “તત્વાર્થપ્લેકવાર્તિકની પ્રસ્તાવના.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy