SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ અવગાહના કહેવાથી સિદ્ધ થયેલ [અજર ( તસ્વાર્થ સૂત્ર નામાંથી સિદ્ધ થાય છે. આ તે ભૂતદષ્ટિએ કહ્યું. વર્તમાનદષ્ટિએ કહેવું હોય તે, જે અવગાહનામાંથી સિદ્ધ થયેલ હોય, તેની જ બે તૃતીયાંશ અવગાહના કહેવી, અનાર (વ્યવધાન): કોઈ એક સિદ્ધ થયા પછી લાગલા જ જ્યારે બીજા સિદ્ધ થાય છે, ત્યારે તે નિરંતરસિદ્ધ કહેવાય - છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલે છે. જ્યારે કોઈની સિદ્ધિ પછી અમુક વખત ગયા બાદ જ સિદ્ધ થાય, ત્યારે તે સાંતરસદ્ધ કહેવાય છે. બને વચ્ચેની સિદ્ધિનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. સાઃ એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એક આઠ સિદ્ધ થાય છે. Wવદુર (ઓછા વધતાપણું): ક્ષેત્ર આદિ જે અગિયાર બાબતે લઈ ઉપર વિચાર કરવામાં આવ્યા છે, તે દરેક બાબતમાં સંભવતા ભેદનું અંદરોઅંદર એ છાવધતાપણું વિચારવું તે અલ્પબહુવિચારણા. જેમકે ક્ષેત્રસિદ્ધમાં સહરસિદ્ધ કરતાં જન્મસિદ્ધ સખ્યાતગુણ હોય છે. તેમજ કલેકસિદ્ધ સૌથી છેડા હોય છે. અધોલકસિદ્ધ તેથી સંખ્યાતગુણ અને તિયોકસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. સમુદ્રસિદ્ધ સૌથી થોડા હેય છે અને દ્રીપસિહ તેથી સંખ્યાતગુણ હોય છે. આ રીતે કાલ આદિ દરેક બાબત લઈ અબદુત્વને વિચાર કરવામાં આવે છે, જે વિશેષાર્થીએ મૂળ ગ્રંથમાંથી જાણી લેવો. [૭]
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy