SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - સૂર ૪૦-૪ ૩૮૧ અવલંબી કોઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાને ભેદ અથત, પૃથફત વિવિધ દૃષ્ટિએ ચિંતવાય છે અને શ્રુતજ્ઞાનને જ અવલંબી એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, અર્થ ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર અને એક રોગ ઉપરથી બીજા રોગ ઉપર સંક્રમ” અથત સંચાર કરવાનું હોય છે. તેથી ઊલટું જ્યારે કોઈ ધ્યાન કરનાર પિતામાં સંભવિત શ્રતને આધારે કઈ પણ એક જ પર્યાયરૂપ અર્થને લઈ તેમાં એકત્વઅભેદપ્રધાન ચિતન કરે અને મન આદિ ત્રણ વેગમાંથી કોઈપણ એક જ વેગ ઉપર અટળ રહી શબ્દ અને અર્થના ચિંતનનુ તેમજ ભિન્ન ભિન્ન ગેમા સંચરવાનું પરિવર્તન ન કરે, ત્યારે તે ધ્યાન “એકવિતાવિચાર' કહેવાય છે. કારણ કે તેમા “વિત” અર્થાત બ્રુતજ્ઞાનનું અવલબન હેવા છતાં એકત્વ' અથત અભેદ પ્રધાનપણે ચિતવાય છે અને અર્થ, શબ્દ કે પેગેનુ પરિવર્તન નથી હોતું. ઉક્ત બેમાથી પહેલા ભેદપ્રધાનને અભ્યાસ દઢ થયા પછી જ બીજા અભેદપ્રધાન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્ષ આદિના ઝેરને મંત્ર આદિ ઉપાય વડે ફક્ત ડખની જગાએ લાવી મૂકવામાં આવે છે, તેમજ આખા જગતના ભિન્ન ભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને ધ્યાન વડે કઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દઢ થતા જેમ ઘણું ઘણું કાઢી લેવાથી અને બચેલા ચેડા ઇધણો સળગાવી દેવાથી અગર તમામ ઈધણ લઈ લેવાથી અગ્નિ એલવાઈ જાય છે, તેમ ઉપર્યુક્ત ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy