SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ તાવાર્થ સૂત્ર મષિાઃ છ પ્રકારનાં સિંહનશારીરિક બંધારમાં વર્ષભનારાચ, અર્ધવર્ષભનારા અને નારાચ એ ત્રણ ઉત્તમ ગણાય છે. જે ઉત્તમ સંહનનવાળે હેય તે જ ધ્યાનને અધિકારી છે. કારણ કે, ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે જે શારીરિક બળ જોઈએ, તેને સંભવ ઉક્ત ત્રણ સંહાનવાળા શરીરમાં છે; બાકીનાં બીજા ત્રણ સંહનનવાળામાં નહિ. એ તે જાણીતું જ છે કે, માનસિક બળને એક મુખ્ય આધાર શરીર જ છે; અને શરીરબળ તે શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે, તેથી ઉત્તમ સિવાયના સંહનનવાળા ધ્યાનના અધિકારી નથી. જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મને બળ ઓછું; જેટલે અંશે મને બળ ઓછું, એટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. તેથી નબળા શારીરિક બંધારણવાળા અર્થાત અનુત્તમ સંહનનવાળા કે પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ પણ વિષયમાં જે એકાગ્રતા સાધી શકે છે, તે એટલી બધી ઓછી હોય છે કે, તેની ગણના ધ્યાનમાં થઈ શકતી નથી. ચણા સામાન્ય રીતે ક્ષણમાં એક ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા એમ અનેક વિષયોને અવલંબી ચાલતી જ્ઞાન ૧. દિગબરીય ગ્રંથમાં ત્રણે ઉત્તમ સહાનવાળાને ધ્યાનના અધિકારી માન્યા છે; ભાષ્ય અને તેની વૃત્તિ પ્રથમના બે સહનવાળાને ધ્યાનના સ્વામી માનવાને પક્ષ કરે છે. ૨. બે હાડકાંના છેડા એકબીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તો તે મટબધ અથવા નારા કહેવાય. તે પ્રકારના સાંધા ઉપર હાડને પટે આવે, તે તે નષભનારાચ બંધ થાય. અને તે ત્રણેને વી છે એ એક વજખીલો ઉપર પરાવવામાં આવે, તા તે પૂરે વર્ષભનારાચસહનન બંધ થયો કહેવાય.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy