SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાર્થ સૂત્ર વૈયાવૃત્ય એ સેવારૂપ હેવાથી, સેવાગ્ય હોય એવા દશ પ્રકારના સેવ્ય – સેવાગ્ય પાત્રને લીધે તેના પણ દશ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણે ૧. મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હાય, તે “આચાર્ય ૨. મુખ્યપણે જેનું કાર્ય કૃતાભ્યાસ કરાવવાનું હોય, ને “ઉપાધ્યાય.' ૩. મેટાં અને ઉગ્ર તપ કરનાર હોય, તે “તપસ્વી. ૪. જે નવદીક્ષિત હૈઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય, તે “શૈક્ષ.” ૫. રોગ વગેરેથી ક્ષણ. હેય, તે “ગવાન. ૬. જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હેય, તેમને સમુદાય તે “ગણુ” છે. એક જ દીક્ષાચાર્યને શિવપરિવાર, તે “કુલ. ૮. ધર્મના અનુયાયીઓ તે “સંઘ'. એના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ભેદ છે. ૯. પ્રવજ્યાવાન હોય, તે “સાધુ. ૧૦. જ્ઞાન આદિ ગુણો વડે સમાન હોય, તે “સમનg-સમાનશીલ. રિ૪] હવે સ્વાધ્યાયના ભેદ કહે છે: वाचनाप्रच्छनानुप्रेक्षाम्नायधर्मोपदेशाः । २२ । વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આનાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદે છે. જ્ઞાન મેળવવાનો, તેને નિશંક, વિશદ અને પરિપકવ કરવા તેમજ તેના પ્રચારને પ્રયત્ન એ બધું સ્વાધ્યાયમાં આવી જતું હોવાથી, તેના અર્લી પાંચ ભેદો અભ્યાસશૈલીના ક્રમ પ્રમાણે જ દર્શાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. શબ્દ કે અર્થને પ્રથમ પાઠ લે, તે “વાચના. ૨. શંકા
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy