SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૯ - સૂત્ર ૮૧૭ ૩૫૯ ન લલચાવું, તે સ્ત્રી 'પરીષહ. ૯. સ્વીકારેલ ધર્મજીવનને પુષ્ટ રાખવા અસંગપણે જુદાં જુદાં સ્થાનમાં વિહાર કરે અને કોઈ પણ એક સ્થાનમાં નિયતવાસ ન સ્વીકારવો, તે ચયી” પરીષહ. ૧૦. સાધનાને અનુકૂલ એકાંત જગ્યામાં મર્યાદિત વખત માટે આસન બાંધી બેસતાં આવી પડતા ભને અડેલપણે જીતવા અને આસનથી સ્મૃત ન થવું, તે “નિષદ્યા'પરીષહ. ૧૧. કોમળ કે કઠિન, ઊંચી કે નીચી જેવી સહજ ભાવે મળે તેવી જગ્યામાં સમભાવપૂર્વક શયન કરવું, તે “શય્યા'પરીષહ. ૧૨. કઈ આવી કઠોર કે અણગમતું કહે તેને સત્કાર જેટલું વધાવી લેવું, તે “આક્રોશ પરીષહ. ૧૩ કેઈતાડન તર્જન કરે ત્યારે તેને સેવા ગણવી, તે “વધ પરીષહ. ૧૪. દીનપણુ કે અભિમાન રાખ્યા સિવાય માત્ર ધર્મયાત્રાના નિર્વાહ અર્થે યાચકવૃત્તિ સ્વીકારવી, તે “યાચના 'પરીષહ. ૧૫. યાચના કર્યા છતા જોઈતું ન મળે ત્યારે પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિને ખરું તપ ગણું તેમાં સતિષ રાખવે, તે “અલાભ પરીષહ ૧૬. કોઈ પણ રોગમાં વ્યાકુળ ન થતાં સમભાવપૂર્વક તેને સહવે, તે “રાગપરીષહ. ૧૭. સંથારામાં કે અન્યત્ર તૃણુ આદિની તીર્ણતાને કે કઠોરતાને અનુભવ થાય ત્યારે મૃદુ શયામાં રહે તે ઉલ્લાસ રાખ, એ તૃણસ્પર્શ પરીષહ. ૧૮, ગમે તેટલો શારીરિક મળ થાય છતાં તેમાં ઉઠેગ ન પામવો અને સ્નાન આદિ સંસ્કારે ન ઈચ્છવા, તે “મલ પરીષહ. ૧૯ ગમે તેટલે સત્કાર મળ્યા છતાં તેમાં ન ભુલાવું અને સત્કાર ન મળે તે ખિન્ન ન થવું, તે “સત્કારપુરસ્કાર પરીષહ. ૨૦. પ્રજ્ઞાચમત્કારી બુદ્ધિ હોય તો તેને ગર્વ ન કર અને ન હોય તે ખેદ ન ધારણ કરે, તે “પ્રજ્ઞા પરીષહ. ૨૧. વિશિષ્ટ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy