SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બિલકુલ નવી વૃત્તિ પૂર્ણરૂપે લખી, અને તેમાં નવા દાર્શનિક વાદને અધિક સ્થાન આપ્યું, કે જે હરિભદ્રીય લઘુવૃત્તિમાં ન હતું. ૩. હરિભદ્રની અધૂરી ટીકાને બાફીને ભાગ ગુરુ ચશેભદ્ર અને શિષ્ય સિદ્ધસેનીય વૃત્તિમાંથી જ ઉદધૃત કરીને પૂર્ણ કર્યો. ઉપર સુચવેલા મુદ્દાઓ પરથી ફલિત એ થાય છે કે, યશોભદ્ર અને તેમને શિષ્ય બને ગંધહસ્તી સિદ્ધસેનના સમકાલીન હશે અથવા ઉત્તરકાલીન; પરંતુ તેમની સામે ગંધહસ્તીની મોટી વૃત્તિ વિદ્યમાન અવશ્ય હતી; તથા તે એવું પણ માનતા હતા કે, હરિભદ્રની વૃત્તિ અધૂરી હોવા છતાં ગંધહસ્તીએ તેને પૂર્ણ કરવાને બદલે નવી જ વૃત્તિ રચી. ચશભરના શિષ્યની લેખનશૈલીથી એટલું તે સ્પષ્ટ સૂચિત થાય છે કે, તે અધૂરી વૃત્તિના રચયિતા આ૦ હરિભક, યા તે ગધહસ્તીના પૂર્વકાલીન લેવા જોઈએ, અથવા તે સમકાલીન; કારણ કે એ સ્પષ્ટ લખે છે કે, હરિભદ્રીય વૃત્તિ પહેલેથી હતી, અને તે અપૂર્ણ પણ હતી; તે પણ ગંધહસ્તીએ તે તેને પૂર્ણ ન કરી, અને નવી તથા નવીનવાદસંકુલ વૃત્તિ જ લખી, તે અધૂરી વૃત્તિના રચયિતા હરિભને સિદ્ધસેનથી પૂર્વ કાલીન માનીને અથવા સમકાલીન માનીને વિચાર કરીએ તે પણ એક જ નિર્ણય ઉપર પહોંચવું પડે છે કે, તે હરિભદ્ર ચાકિનીનુ જ હોઈ શકે છે, બીજા નહીં; કેમકે વિક્રમીયા નવમા સૈકામાં ગંધહસ્તીને સમય નિર્ણિત થાય છે. તે સમયે અથવા તેથી કંઈકે પહેલાં યાકિનીનુ હરિભદ્ર સિવાય બીજા કોઈ હરિભકને પત્તો ઇતિહાસમાંથી મળતો નથી. અલબત,
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy