SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તાવાર્થ સૂત્ર જ કે તેનું દેષપણે અબાધિત નથી; તેથી ઊલટુ પ્રમત્તયાગરૂપ જે સૂક્ષ્મ ભાવના તે જાતે જ દેવરૂપ હોઈ તેનું દોષપણું સ્વાધીન છે અર્થાત તેના દેવપણાને આધાર સ્થૂલ પ્રાણુનાશ કે બીજી કઈ બાહ્ય વસ્તુ ઉપર અવલંબિત નથી. સ્કૂલ પ્રાણુનાશ ન પણ થયું હોય, કેઈને દુઃખ ન પણ દેવાયુ હેય, બલકે પ્રાણનાશ કરવા જતાં કે દુઃખ દેવા જતાં સામાનુ જીવન લંબાયુ હોય અગર તે સામાને સુખ પહોંચ્યું હોય છતાં, જે તેની પાછળની ભાવના અશુભ હોય, તે તે એકાન્ત દેપ જ ગણવાની. તેથી આવી ભાવનાને શાસ્ત્રીય પરિભાષામાં ભાવહિંસા અથવા નિશ્ચયહિંસા કહેવામાં આવી છે. ભાવહિંસા અને નિશ્ચયહિંસાને અર્થ એટલો જ છે કે, તેનુ દેવપણું સ્વાધીન હેવાથી ત્રણે કાળમાં અબાધિત રહે છે. માત્ર પ્રમત્તાગ કે માત્ર પ્રાણવધ એ બને છૂટા છૂટા હિંસા કહેવાવા છતાં તેમના દોષપણાનુ તારતમ્ય ઉપર પ્રમાણે જાણી લીધા પછી એ બંને પ્રકારની હિસાઓ પ્રમત્તયોગજનિત પ્રાણવધરૂપ હિંસાની કેટિની જ કે તેથી જુદા પ્રકારની એ પ્રશ્નોને ઉત્તર સ્પષ્ટ થઈ જાય છે અને તે એ કે, ભલે સ્થૂલ આંખ ન જાણું શકે છતાં તાત્વિક રીતે માત્ર પ્રમત્તયોગ એ પ્રમત્તગજનિત પ્રાણનાથની કોટિની જ હિંસા છે, અને માત્ર પ્રાણુનાશ એ, એ કોટિમાં આવે તેવી હિસા નથી. પ્ર–જે ઉપર કહ્યા પ્રમાણે પ્રમત્તગ એ જ હિંસાના દેષપણાનું મૂળ બીજ હોય, તે હિસાની વ્યાખ્યામાં એટલું જ કહેવું બસ છે કે પ્રમત્તયાગ એ હિસા. અને જે આ દલીલ સાચી હોય તે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે કે
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy