SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય -સૂત્ર ૮૧૦ ર૬૧ શુભ, અશુભ બધાં જ કાર્ય જીવ અને અજીવની દ્વારા જ સિદ્ધ થાય છે, એકલો જીવ અથવા એકલું અજીવ કાંઈ કરી શકતાં નથી આથી જીવ અને અજીવ બને અધિકરણ અર્થાત કર્મબંધનુ સાધન, ઉપકરણ અથવા શસ્ત્ર કહેવાય છે. ઉપરનાં બને અધિકારણું દ્રવ્ય અને ભાવરૂપે બે બે પ્રકારનાં છે. જીવ વ્યક્તિ અથવા અજીવ વસ્તુ “દિવ્યાધિકરણ' છે; અને છવગત કપાય આદિ પરિણામ તથા છરી આદિ નિર્જીવ વસ્તુની તણુતારૂપ શક્તિ આદિ “ભાવાધિકરણ છે. [૮] સસારી છવ શુભ અથવા અશુભ પ્રવૃત્તિ કરતી વેળા એકસો ને આઠ અવસ્થાઓમાંથી કોઈ ને કઈ અવસ્થામાં અવશ્ય હોય છે, આથી તે અવસ્થાઓ ભાવાધિકરણ છે. જેમકે ક્રોધકૃત કાયસરભ, માનકૃત કાયસંરભ, માયાકૃત કાયસંરભ, અને લોભકૃત કાયસરંભ એ ચાર, અને એ રીતે કૃતપદના સ્થાનમાં “કારિત તથા “અનુમતપદ લગાવવાથી ક્રોધારિત કાયસંરંભ આદિ ચાર તથા ક્રોધઅનુમત કાયસરભ આદિ ચાર એમ બાર ભેદ થાય છે. એ રીતે કાયના સ્થાનમાં વચન અને મન પદ લગાવવાથી બાર, બાર ભેદ થાય છે; જેમકે, ક્રોધકૃત વચનસરભ આદિ તથા ક્રોધકૃત મનસરંભ આદિ. આ છત્રાશ ભેદમાંથી સંરંભ પદના સ્થાનમાં સમારંભ અને આરંભ પર મૂકવાથી બીજા પણ છત્રાશ-છત્રીશ ભેદો થાય છે. એ બધાને સરવાળો કરીએ તે કુલ ૧૦૮ ભેદ થાય. પ્રમાદી જીવને હિંસા આદિ કાર્યને માટે પ્રયત્ન આવેશ “સરંભ” કહેવાય છે; એ કાર્યને માટે સાધનને ભેગાં કરવાં એ “સમારંભ,” અને છેવટે કાર્યને કરવું એ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy