SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ તરવાથસૂત્ર કર્યું નથી. આથી પ્રશ્ન થાય છે કે પહેલાં એવું વિધાન ન કરવાને હેતુ કાળ દ્રવ્ય નથી એ છે? એ પ્રશ્નને ઉત્તર આ સૂત્રેામાં આપ્યા છે. સૂત્રકારનું કહેવું એમ છે કે, કેઈ આચાર્ય કાળને દ્રવ્યરૂપ માને છે. આ કથનથી સૂત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે, વસ્તુતઃ કાળ સ્વતંત્ર વ્યરૂપે સર્વસંમત નથી. કાળને અલગ દ્રવ્ય ભાનતા આચાર્યના મતનું નિરાકરણ સૂત્રકારે કર્યું નથી. ફક્ત એનું વર્ણન માત્ર કર્યું છે. આ વર્ણનમાં સૂત્રકાર કહે છે કે, કાળ અનંત પર્યાયવાળે છે. વર્તન આદિ પર્યાય તે પહેલાં કહી ચૂક્યા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે. વર્તમાન કાલરૂપ સમયપર્યાય તે ફક્ત એક જ હોય છે, પરંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હોય છે, આથી કાળને અનંત સમયવાળો કહ્યો છે. [૩૮-૩૯] હવે ગુણનું સ્વરૂપ વર્ણવે છે? __द्रव्याश्रया निर्गुणा गुणाः । ४० । જે દ્રવ્યમાં હમેશાં રહે છે અને ગુણરહિત છે, તે ગુણ છે. દ્રવ્યના લક્ષણમાં ગુણનું કથન કર્યું છે, એથી એનું સ્વરૂપ અહીંયાં બતાવ્યું છે. જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, અને નિર્ગુણ છે, તથાપિ તે ઉત્પાદવિનાશવાળા હેવાથી દ્રવ્યમાં સદા રહેતા ૧. જુઓ અ ૫ સૂ. ૨૨. ૨, જુઓ અ. ૫ સૂ. ૩૭,
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy