SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર હવે પુગલના અસાધારણ પર્યાય કહે છેઃ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः । २३ । शब्दबन्धसोक्षम्यस्थौल्यसंस्थानभेदतम छायाऽऽતqતરતગ્ર . ર ! - પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હેાય છે. તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મતત્વ, થુલત્વ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા ૫ણ છે. બૌદ્ધ લેકે પુકલને છ અર્થમાં વ્યવહાર કરે છે, તથા વૈશેષિક આદિ દર્શનેમાં પૃથિવી આદિ મૂર્ત વ્યોને સમાનરૂપે સ્પર્શ, રસ આદિ ચતુર્ગુણયુક્ત માન્યાં નથી, કિંતુ પૃથિવીને ચતુગુણ, જળને ગધરહિત ત્રિગુણ, તેજને ગધ–રસરહિત દ્વિગુણુ અને વાયુને માત્ર સ્પર્શગુણવાળો માન્ય છે. એ રીતે તેઓ મનમાં સ્પર્શ આદિ ચાર ગુણે માનતાં નથી. એથી એ બૌદ્ધ આદિથી મતભેદ બતાવે એ પ્રસ્તુત સુત્રને ઉદ્દેશ છે. આ સૂત્રથી એ સુચિત કરવામાં આવે છે કે, જૈનદર્શનમાં જીવ અને પુલતત્ત્વ ભિન્ન છે. એથી જ પુલ શબ્દને વ્યવહાર જીવતત્વને વિષે થતો નથી. એ રીતે પૃથિવી, જળ, તેજ અને વાયુ એ બધાં પુતલરૂપે સમાન છે. અર્થાત તે બધાં સ્પર્શીદિ ચતુર્ગુણયુક્ત છે. તે જ રીતે જૈનદર્શનમાં મન પણ પૌલિક હોવાથી સ્પર્શદિ ગુણ-- વાળું જ છે. સ્પર્શ આઠ પ્રકારનું માનવામાં આવે છે, જેમ કેઃ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy