SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૬ પરિમિત રહે છે. વિકાસની મર્યાદા કાકાશ સુધીની જ માનવામાં આવી છે, એનાં બે કારણે બતાવી શકાય છે. પહેલુ તે એ કે જીવના પ્રદેશ એટલા જ છે કે, જેટલા લોકાકાશના છે. અધિકમાં અધિક વિકાસદશામાં છવને એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે છે, બે અથવા અધિકને નહિ. આથી સર્વોત્કૃષ્ટ વિકાસદશામાં પણ કાકાશના બહારના ભાગને તે વ્યાપ્ત કરી શક્તા નથી. બીજું કારણ એ છે કે વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધમસ્તિકાય સિવાય હેઈ શકતી નથી. એ કારણથી કાકાશની બહાર જીવને કેલાવાને પ્રસંગ જ આવતા નથી. પ્ર-અસંખ્યાત પ્રદેશવાળા કાકાશમાં શરીરધારી અનત છો કેવી રીતે સમાઈ શકે છે ? ઉ–સૂમભાવમા પરિણમેલા હોવાથી નિગેહશરીરથી વ્યાપ્ત એક જ આકાશક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત છવા એક સાથે રહે છે. તથા મનુષ્ય આદિના એક ઔદારિક | શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જીવોની સ્થિતિ જેવામા આવે છે. એ કારણે લોકાકાશમાં અનંતાનંત જીવોને સમાવેશ વિરુદ્ધ નથી. જો કે પુતદ્રવ્ય અનતાનંત અને મૂર્ત છે; તથાપિ કાકાશમાં એ સમાવાનું કારણ એ છે કે પુલેમાં સૂક્ષ્મત્વરૂપે પરિણત થવાની શક્તિ છે. આવુ પરિણમને જ્યારે થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એક બીજાને વ્યાઘાત કર્યા વિના અનતાનત પરમાણુ અને અનતાનંત આધ સ્થાન પ્રાપ્ત કરી શકે છેઃ જેમ એક જ સ્થાનમાં હજારો દીવાઓને પ્રકાશ વ્યાઘાત વિના જ સમાઈ શકે છે. પુતલદ્રવ્ય મૂર્તિ હોવા त १४
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy