SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪ સૂત્ર ર૧ ૨૨ ૧૯ ઉપરના દેવેની વેશ્યા, સંકેશના એછાપણના કારણથી ઉત્તરેતર વિશુદ્ધ, વિશુદતર જ હોય છે. ૬. વિષયઃ દૂરથી ઈષ્ટ વિષયનું ગ્રહણ કરવાનું જે ઈનુિં સામર્થ્ય તે પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ અને સલેશની ન્યૂનતાના કારણથી ઉપરઉપરના દેવામાં અધિક હેય છે. - ૭ અધિજ્ઞાનની વિકાઃ અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપરઉપરના દેવામાં વધારે જ હોય છે. પહેલા અને બીજા સ્વર્ગને દેવેને નીચેના ભાગમાં રત્નપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊંચા ભાગમાં પોતપોતાના વિમાન સુધી અવધિજ્ઞાનથી જાણવાનું સામર્થ્ય હેય છે. ત્રીજા અને ચોથા સ્વર્ગના દે નીચેના ભાગમાં શર્કરપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ એજન સુધી અને ઊર્ધ્વ ભાગમાં પિતપોતાના ભવન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એ રીતે ક્રમશ વધતાં વધતાં અંતમાં અનુત્તરવિમાનવાસી દેવો સંપૂર્ણ લેકનાલીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. જે દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન હોય છે, તેમાં પણ નીચેની અપેક્ષાઓ ઉપરના દેવને વિશુદ્ધ, વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હેય છે. [૨૧] ચાર બાબત એવી છે જે નીચેના દેવોની અપેક્ષાએ ઉપરઉપરના દેવામાં ઓછી હોય છે. જેમકેઃ १. गमनक्रियानी शक्ति अने गमनक्रियामा प्रवृत्तिः मे બને ઉપરઉપરના દેવામાં ઓછા હોય છે, કેમ કે ઉપરઉપરના દેવામાં ઉત્તરોત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હેવાને કારણે દેશાતરવિષયક ક્રીડા કરવાની રતિ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy