SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભાષ્ય બનેના કર્તા તરીકે પિતાને જણાવનારી પિતાની પ્રશસ્તિ લખી છે. આ ઉપરાંત નીચેની બે દલીલો આપણને સૂત્રકાર અને ભાષ્યકારનું એકત્વ માનવા પ્રેરે છેઃ ૧. શરૂઆતની કારિકાઓમાં અને કેટલેક સ્થળે ભાષ્યમાં “કહીશું' એવા અર્થમાં “વામિ', “વામ:' વગેરે પ્રથમ પુરુષને નિર્દેશ છે અને એ નિર્દેશમાં કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે પાછું સૂત્રમાં જ કહેવામાં આવ્યું છે; તેથી સૂત્ર અને ભાષ્ય બનેને એકની કૃતિ માનવા વિષે સંદેહ રહેતું નથી. ૨. પહેથી ઠેઠ સુધીનું ભાષ્ય જોઈ જતાં એક વાત મન પર હસે છે અને તે એ કે, કઈ પણ સ્થળે સૂત્રને અર્થ કરવામાં શબ્દની ખેંચતાણ થયેલી નથી, ક્યા સૂત્રને અર્થ કરવામાં સંદિગ્ધપણું અગર તે વિકલ્પ કરવામાં નથી આવ્યા, તેમજ સૂત્રની બીજી કોઈ વ્યાખ્યા મનમાં સામે રાખીને સૂત્રને અર્થ કરવામાં નથી આવ્યો, અને ક્યાં પણ સૂત્રનો પાઠભેદ અવલંબવામાં નથી આવ્યો. આ વસ્તુ સૂત્ર અને ભાષ્ય એકકક હેવાની ચિરકાલીન માન્યતાને સાચી કરાવે છે. જ્યાં મૂળ અને ટીકાના કર્તા १. "तत्त्वार्थाधिगमाख्यं बर्थ संग्रहं लघुग्रन्थम् । વામિ શિષ્યહિમિમરા ” ૨૨ - " नर्ते च मोक्षमार्गावतोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । તમાક્ષરીમતિ મોક્ષના પ્રવામિ” રૂ . ૨. ગુણાનું ચાપતો વીમા-૫, ૩૭નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫, ૪૦. “નવિધિમાંચ તે પરતાદ્રસ્યામ”-૫, ૨૨નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫, ૪૨.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy