SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાથસૂત્ર રત્નપ્રભા, શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિઓ છે, જે ઘનાંબુ, વાત અને આકાશ ઉપર સ્થિત છે, એકબીજાની નીચે છે; અને નીચેનીચેની, એકબીજાથી અધિક વિસ્તારવાની છે. એ ભૂમિમાં નરક છે. તે નરક નિત્ય-નિરંતર અશુભતર વૈશ્યા, પરિણામ, દેહ, વેદના, અને વિકિયાવાળાં છે. તથા પરસ્પર ઉત્પન્ન કરેલા દુખવાળાં હોય છે. અને ચોથી ભૂમિથી પહેલાં અથત ત્રણ ભૂમિઓ સુધી સંક્ષિણ અસુરે દ્વારા ઉત્પન્ન કરેલા દુખવાળાં પણ હોય છે. - એ નરકામાં વર્તમાન પ્રાણુઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમથી એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીસ સાગરેપમ પ્રમાણ છે. લોકના અધે, મધ્યમ અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ છે. નીચેનો ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસો. જનના ઊંડાણ પછી ગણાય છે, જેને આકાર ઊંધા કરેલા શરાવ-શકરા જેવો છે; અર્થાત નીચે નીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવસો યેાજન તેમ જ તેની ઉપરના નવસે જન અર્શીત કુલ અઢારસે એજનને મધ્યમ લેક છે, જેને આકાર ઝાલરની પેઠે બરાબર આયામવિષ્કભ– લંબાઈ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy