SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ १९ સવાલ જ છે, છતાં અત્યાર સુધીમાં ઉપલબ્ધ સમગ્ર જૈન વાડ્મયને ઇતિહાસ તે એમ જ કહે છે કે, ઉમાસ્વાતિ જ જૈનાચાીમાં પ્રથમ સસ્કૃત લેખક છે, તેમના ગ્રંથેાની પ્રસન્ન, સંક્ષિપ્ત અને શુદ્ધ શૈલી તેમના સસ્કૃત ભાષા ઉપરના પ્રભુત્વની સાક્ષી પૂરે છે. જૈન આગમમાં આવતી જ્ઞાન, જ્ઞેય, આચાર, ભૂંગાળ, ખગાળ આદિને લગતી બાબતેાના સંગ્રહ જે સંક્ષેપથી તેમણે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કર્યાં છે, તે તેમના વાચકવČશમાં થવાની અને વાચકપદની યથાતાની સાક્ષી પૂરે છે. તેમની તત્ત્વાના પ્રારભની કારિકાએ અને બીજી પદ્યકૃતિઓ સૂચવે છે કે, તેમેં ગદ્યની પેઠે પદ્મના પણ પ્રાંજલ લેખક હતા. તેમનાં સભા મંત્રનું ખારીક અવલેકિન તેમના જૈન આગમ સબંધી સગ્રાહી અભ્યાસ ઉપરાંત વૈશેષિક, ન્યાય, યાગ અને બૌદ્ધ આદિ દાનિક સાહિત્યના તેમના અભ્યાસની પ્રતીતિ કરાવે છે. તત્ત્વા ભાષ્ય(૧, ૫, ૨, ૧૫)માં ઢાંકેલાં વ્યાકરણનાં સૂત્રેા એમના પાણિનીય વ્યાકરણના અભ્યાસની પણ સાક્ષી પૂરે છે. જો કે તેમની પાંચસાગ્રંથના કર્તા તરીકે પ્રસિદ્ધિ શ્વેતાંબર સપ્રદાયમાં છે, અને અત્યારે કેટલાક ગ્રંથા તેમની કૃતિ તરીકે જાણીતા છે; છતાં એ વિષે આજે ખાતરી લાયક કાંઈ પણ કહેવાનુ સાધન નથી. એવી સ્થિતિમાં ૧. જબુદ્વીપસમાસપ્રકરણ, પૂજાપ્રકરણ, શ્રાવક્રપ્રાપ્તિ, ક્ષેત્રવિચાર, પ્રશમરતિ, સિદ્ધસેન પેાતાની વૃત્તિમાં [૭, ૧૦, પૃ॰ ૭૮, ૫, ૨] તેમના શૌચપ્રકરણ', નામના ગ્રંથનો ઉલ્લેખ કરે છે, જે અત્યારે ઉપલબ્ધ નથી.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy