SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨- સૂત્ર ૧-૭ ચારિત્ર પ્રકટ થાય છે. માટે કેવલજ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાયે ક્ષાયિક કહેવાય છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણુ, અને મન પર્યાયજ્ઞાનાવરણના ક્ષયે પશમથી મતિ, કૃત, અવધિ અને મન પર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાવયુક્ત મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અને અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રગટ થાય છે. ચક્ષુદ્ર્શનાવરણ, અચલ્ફર્શનાવરણ અને અવધિદર્શનાવરણના ક્ષાપશમથી ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન અને અવધિદર્શન પ્રગટ થાય છે. પંચવિધ અંતરાયના ક્ષપશમથી દાન, લાભ આદિ ઉક્ત પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. અનતાનુબંધી ચતુષ્ક તથા દર્શનમોહનીયના ક્ષાપશમથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષપશમથી દેશવિરતિ પ્રગટ થાય છે. અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયાપશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે. માટે જ્ઞાન આદિ ઉપરના અઢાર પ્રકારના પય ક્ષાપથમિક છે. ગતિનામ કર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ છે. કપાયમેહનીયના ઉદયથી ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય પેદા થાય છે. વેદમહનીયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુસક વેદ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વમેહનીયના ઉદયથી મિથ્યાદર્શન– તત્વ વિષે અશાહ – થાય છે. અજ્ઞાન-જ્ઞાનાભાવ જ્ઞાનાવરણીય તથા દેશનાવરણીયનું ફળ છે. અસંયતત્વવિરતિને સર્વથા અભાવ અનતાનુબંધી આદિ બાર પ્રકારનાં ચારિત્રમેહનીયના ઉદયનું ફળ છે. અસિત્વ-શરીરધારણ વેદનીય, આયુ,
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy