SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ તાવાર્થસૂત્ર સ્પષ્ટતા કે અસ્પષ્ટતાને લીધે, તથા તેમની મુખ્યતા-ગૌણતા ધ્યાનમાં રાખી સાત નેને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે ભાગમાં વહેચી નાખવામાં આવ્યા છે. પણ ખરી રીતે વિચારવા જતાં સામાન્ય અને વિશેષ એ બંને એક વસ્તુની અવિભાજ્ય બે બાજુઓ હેવાથી એકાંતિકપણે એક નયના વિષયને બીજા નયના વિષયથી તદ્દન છૂટે પાડી શકાય જ નહિ. નથદષ્ટિ, વિચારસરણું અને સાપેક્ષ અભિપ્રાય એ બધા શબ્દને એક જ અર્થ છે. ઉપરના વર્ણન ઉપરથી એટલું જાણી શકાશે કે કોઈ પણ એક જ વિષય પર વિચારસરણીઓ અનેક હોઈ શકે. વિચારસરણુઓ ગમે તેટલી હેય પણ તેમને ટૂંકાવી અમુક દૃષ્ટિએ સાત ભાગમાં ગઠવી કાઢવામાં આવેલી છે. તેમાં એક કરતાં બીછમાં અને બીજી કરતાં ત્રીજીમાં ઉત્તરોત્તર વધારે ને વધારે સૂક્ષ્મપણ આવતું જાય છે. છેવટની એવંભૂત નામની વિચારસરણીમાં સૌથી વધારે સૂમપણું દેખાય છે. આ કારણથી ઉક્ત સાત વિચારસરણીઓને બીજી રીતે પણ બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે. ચહાય અને નિશ્ચયનય. વ્યવહાર એટલે સ્થૂલગામી અને ઉપચારપ્રધાન, તથા નિશ્ચય એટલે સૂમગામ અને તત્તરપી. ખરી રીતે એવંત એ જ નિશ્ચયની પરાકાષ્ઠા છે. વળી ત્રીજી રીતે પણ ઉક્ત સાત નને બે ભાગમાં વહેચી નાખવામાં આવે છે: ની અને નય જેમા અર્થની વિચારણા પ્રધાનપણે હેાય તે અર્થનય અને જેમા શબ્દનું પ્રાધાન્ય હોય તે શબ્દનય. સજુસુત્ર પર્યત પહેલા ચાર અર્થનય છે અને બાકીના ત્રણ શબ્દનય છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy