SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે “આગળના નાની વધારે સ્પષ્ટ કરે વવિ તરવાથસૂત્ર તે અહાના. આ ત્રણે નયને ઉતમ વ્યાર્થિકની ભૂમિકામાં રહેલો છે તેથી એ ત્રણ વ્યાર્થિક પ્રકૃતિકહેવાય છે પ્ર—આગળના નોની વ્યાખ્યા આપ્યા પહેલાં ઉપરના ત્રણ નયને દાખલાઓ આપી વધારે સ્પષ્ટ કરે. ઉ–દેશકાળના અને સ્વભાવના ભેદની વિવિધતાને લીધે લોકરઢિઓ તેમ જ તજજન્ય સંસ્કારો અનેક જાતના હોય છે. તેથી તેમાંથી જન્મેલે નિગમનાય પણ અનેક પ્રકારના હોઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે, અને બીજા પણ તેવા જ કલ્પી શકાય. કઈ કામ કરવાના સંકલ્પથી જતા કોઈ માણસને પૂછીએ કે તમે ક્યાં જાઓ છે? તે ઉત્તરમાં તે કહે છે કે, હું કુહાડે હોવા કે કલમ લેવા જાઉ છું. આ ઉત્તર આપનાર ખરી રીતે હજી કુહાડાના હાથા માટેનું લાકડું લેવા અને કલમ માટે બરુ લેવા જ હોય છે, ત્યારે પણ ઉપર પ્રમાણે જવાબ આપે છે; અને પૂછનાર એ ઉત્તર વગર વાધે સમજી લે છે. આ એક લોકઢિ છે. ન્યાત જાત છેડી ભિક્ષુ બનેલ કેઈ વ્યક્તિને જ્યારે પૂર્વાશ્રમના બ્રાહ્મણ વર્ણથી ઓળખવામાં આવે છે ત્યારે પણ આ બ્રાહ્મણશ્રમણ છે એ કથન વગર વાધે સ્વીકારી લેવાય છે ચિત્ર શુક્લ નવમી કે ત્રાદશીને દિવસ આવતાં હજાર વર્ષ અગાઉ વ્યતીત થઈ ગયેલ રામચંદ્ર કે મહાવીરના જન્મદિવસ તરીકે લેકે એ દિવસેને ઓળખે છે, અને જન્મદિવસ માની તે પ્રમાણે વ્યવહાર કરે છે એ પણ એક જાતની લોકરૂઢિ છે. જ્યારે કેઈ અમુક અમુક માણસે ટોળાબંધ થઈ લડતાં હેય ત્યારે કે તે માણસની નિવાસભૂમિને લડનાર તરીકે ઓળખાવતાં ઘણી વાર કહે છે
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy