SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ અધ્યાય ૧-સૂત્ર ૩૧ ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય હોય છે. કેમ કે એ ચારે જ્ઞાન અપૂર્ણ અવસ્થામાં થતાં હેવાથી એકી સાથે હોઈ શકે છે. કેવળજ્ઞાનનું અન્ય કે પણ જ્ઞાનની સાથે સાહચર્ય એટલા માટે નથી કે તે પૂર્ણ અવસ્થામાં પ્રકટે છે, અને બીજા બધાં અપૂર્ણ અવસ્થામાં. પૂર્ણતા તથા અપૂર્ણતાને પરસ્પર વિરોધ હેવાથી બન્ને અવસ્થાઓ એકી સાથે આત્મામાં હતી નથી. બે, ત્રણ અથવા ચાર જ્ઞાનેને એકી સાથે સંભવ કહ્યો છે તે શક્તિની અપેક્ષાઓ, પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ. પ્ર–એને અર્થ શુ? ઉ–જેમ મતિ, મૃત એ બે જ્ઞાનવાળો અથવા અવધિજ્ઞાન સહિત ત્રણ જ્ઞાનવાળે કોઈ આત્મા જે સમયે મતિજ્ઞાનની દ્વારા કેઈ વિષયને જાણવામાં પ્રવૃત્ત થાય છે, તે સમયે તે આત્મા પોતાનામાં શ્રતની શક્તિ અથવા અવધિની શક્તિ હોવા છતાં પણ એને ઉપયોગ કરીને તે દ્વારા એમના વિષયોને જાણી શકતો નથી એવી જ રીતે તે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને સમયે મતિ અથવા અવધિશક્તિને પણ કામમાં લઈ શકતા નથી. એ જ હકીકત મન:પર્યાયની શક્તિના વિષયમા સમજવી જોઈએ. સારાંશ એ છે કે, એક આત્મામાં એકી સાથે વધારેમાં વધારે ચાર જ્ઞાનશક્તિઓ હેાય તે પણ એક સમયમાં કોઈ એક જ શક્તિ પિતાનું જાણવાનું કામ કરે છે, અન્ય શક્તિઓ એ સમયે નિષ્ક્રિય રહે છે. કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાન હતાં નથી. આ સિદ્ધાંત સામાન્ય હોવા છતા પણ એની ઉપપત્તિ બે રીતે કરવામાં આવે છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy