SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧ સૂત્ર ર૭-૩૦ પ્ર–સ્વાનુભૂત અથવા શાસ્ત્રબુત વિષયમાં મનની દ્વારા મતિજ્ઞાન પણ થાય છે અને શ્રુતજ્ઞાન પણ થાય છે. તે બન્નેમા ફરક છે રહ્યો? ઉ–જ્યારે માનસિક ચિંતન શબ્દેલ્લેખસહિત હેય ત્યારે શ્રુતજ્ઞાન, અને જ્યારે એનાથી રહિત હોય ત્યારે મતિજ્ઞાન, - પરમ પ્રકીને પહેલા જે પરમાવધિજ્ઞાનનું અલોકમાં પણ પ્રમાણ અસંખ્યાત ખંડને જોવાનું સામર્થ્ય છે, તે પણ ફક્ત મૂર્ત દ્રવ્યોને સાક્ષાત્કાર કરી શકે છે, અમૂર્તીને નહિ. તેમ જ તે મૂર્ત દ્રવ્યના પણ સમગ્ર પયીને જાણી શકતું નથી. મન પર્યાયજ્ઞાન પણ મૂર્ત દ્રવ્યને જ સાક્ષાત્કાર કરે છે, પરંતુ અવધિજ્ઞાન એટલે નહિ. કેમ કે અવધિજ્ઞાન દ્વારા સર્વપ્રકારનાં પુલવ્ય ગ્રહણ કરી શકાય છે, પરંતુ મન:પર્યાયજ્ઞાન દ્વારા તે ફક્ત મનરૂપ બનેલા પુલ અને તે પણ માનુષોત્તરક્ષેત્રની અંતર્ગત જ ગ્રહણ કરી શકાય છે. તેથી મનપીયજ્ઞાનને વિષય અવધિજ્ઞાનના વિષયને અને તમે ભાગ કહ્યો છે. મનપર્યાયજ્ઞાન ગમે તેટલું વિશુદ્ધ હોય છતાં પિતાના ગ્રાહ્ય દ્રવ્યના સંપૂર્ણ પર્યાને જાણી શકતું નથી. જો કે મનઃપયૌવજ્ઞાન દ્વારા સાક્ષાત્કાર તે ફક્ત ચિંતનશીલ મૂર્ત મન થાય છે, છતાં પછી થનાર અનુમાનથી તે એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્તિ અમૂર્ત બધાં દ્રવ્ય જાણી શકાય છે. મતિ આદિ ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય છતાં તે ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપે હોવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવેને જાણવામાં અસમર્થ હોય છે. એ નિયમ છે કે જે જ્ઞાન કેઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવને
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy