SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અચાય ૧-સૂત્ર ૨૪૨૫ પ્ર–તે પછી શુ ચિંતનીય વસ્તુઓને મન પયયજ્ઞાની જાણું શક નથી ? ઉ–જાણી શકે છે, પરંતુ પછીથી અનુમાન દ્વારા. પ્ર–એ કેવી રીતે? ઉ –જેમ કેઈ કુશલ ભાણસ કેઈને ચહેરા અથવા હાવ-ભાવ પ્રત્યક્ષ જોઈ એના ઉપરથી એ વ્યક્તિના મનેગત ભાવ અને સામર્થનું જ્ઞાન અનુમાનથી કરી લે છે, તે જ પ્રમાણે મન:પર્યાયજ્ઞાની મન પર્યાયજ્ઞાનવડે કોઈને મનની આકૃતિઓને પ્રત્યક્ષ જોઈ પછીથી અભ્યાસને લીધે એવું અનુમાન કરી લે છે કે આ વ્યક્તિએ અમુક વસ્તુનું ચિંતન કર્યું, કેમ કે એનું મન એ વસ્તુના ચિંતનના સમયે અવશ્ય થનારી અમુક પ્રકારની આકૃતિઓથી યુક્ત છે. પ્ર –ઋજુમતિ અને વિપુલમતિને શું અર્થ છે ? ઉ –વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે “આજુમતિ મન:પર્યાય અને જે વિશેષરૂપથી જાણે છે તે વિપુલમતિ મન પર્યાય.' પ્ર–જે ઋજુમતિ સામાન્યગ્રહી છે તે તે તે દર્શન જ થયુ કહેવાય, એને જ્ઞાન શા માટે કહે છે ? ઉતે સામાન્યગ્રાહી છે એને અર્થ એટલો જ છે કે તે વિશેષ જાણે છે પરંતુ વિપુલમતિ જેટલા વિશેષોને જાણતું નથી. જુમતિની અપેક્ષાએ વિપુલમતિ મન પયયજ્ઞાન વિશુદ્ધતર હેય છે, કેમ કે તે ઋજુમતિ કરતાં સૂક્ષ્મતર અને અધિક વિશેષને સ્કુટ રીતે જાણી શકે છે. એ સિવાય એ બનેમાં એ પણ તફાવત છે કે આજુમતિ ઉત્પન્ન થયા
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy