SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્થ સૂત્ર પ્ર–આસવથી લઈમેક્ષ સુધીનાં પાંચ તો હવે અજીવની જેમ સ્વતંત્ર નથી તેમ જ અનાદિ અનંત પણ નથી પણ તે જીવ અથવા અવની યથાસંભવ અમુક અમુક અવસ્થારૂપ છે. તે પછી તેમની જીવ અજીવની સાથે નર્વ તરીકે કેમ ગણતરી કરી? ઉ૦–વસ્તુસ્થિતિ એવી જ છે. અર્થાત અહીયાં તત્ત્વશબ્દનો અર્થ અનાદિ-અનંત અને સ્વતંત્ર “ભાવ” નથી, કિન્તુ મેક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય એવું ય એવે છે. આ શાસ્ત્રનો મુખ્ય વિષય મોક્ષ હેવાથી મેક્ષના જિજ્ઞાસુઓ માટે જે વસ્તુઓનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, એ જ વસ્તુ ને અહીંયાં તત્ત્વ તરીકે ગણાવી છે. મેક્ષ તે મુખ્ય સાધ્ય જ રહ્યું એટલે એને તથા એના કારણને જાણ્યા વિના મેક્ષમાર્ગમાં મુમુક્ષની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. એ રીતે જે મુમુક્ષુ મેક્ષનાં વિરોધી તત્વોનું અને એ વિરોધી તોના કારણેનું સ્વરૂપ ન જાણે. તોપણ પિતાના માર્ગમાં તે અખલિત પ્રવૃત્તિ કરી શકે નહિ. અને એ ને મુમુક્ષને સૌથી પહેલું જ જાણું લેવું પડે છે કે, હું જે મેક્ષનો અધિકારી છુ તે મારામાં જણાતું સામાન્ય સ્વરૂપ કાનામાં છે અને કાનામાં નથી. આ જ્ઞાનની પૂર્તિ માટે સાત તનું કથન છે. જીવ તત્ત્વના કથનથી મેક્ષના અધિકારીનો નિર્દેશ થાય છે. અજીવ તત્વથી એમ સૂચિત થાય છે કે, જગતમાં એક એવું પણ તત્ત્વ છે, જે જડ હેવાથી મોક્ષમાર્ગના ઉપદેશનું અધિકારી નથી. બંધ તત્વથી મેક્ષને વિરોધી ભાવ અને આસવ તત્ત્વથી એ વિરોધી ભાવનું કારણ બતાવ્યું
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy