SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨, વિસ્તારરૂપે “ઉદ્ધાર' કરીને મૂક્યો હતે. એ પ્રમાણે યશભદ્ર, લિખિત અધ્યાયના અંતમાં પણ એકવાક્યતા નથી. “યશોભદ્રનિવહિતાયામ' એવા શબ્દ હેવા છતાં પણ “સચવામ' લખવું કાં તે વ્યર્થ છે, અથવા કેાઈ અર્થાતરનું સૂચક છે. આ બધી ગરબડ જોઈને હું અનુમાન કરું છું કે, અધ્યાયના અંતવાળા ઉલ્લેખ કોઈ એક યા અનેક લેખકે દ્વારા એક સમયમાં અથવા જુદા જુદા સમયમાં નકલ કરતી વખતે દાખલ થયા છે તથા તેવા ઉલ્લેખોની રચનાને આધાર યશભદ્રના શિષ્યનું પેલું પ-ગ છે, કે જે તેણે પિતાની રચનાના પ્રારંભમાં લખ્યું છે. ઉપર્યુક્ત ઉલ્લેખો પાછળથી દાખલ થયા છે એ કલ્પનાનું સમર્થન એથી પણ થાય છે કે, અધ્યાયના અતમાં આવતું “પિવાયા” એવું પદ અનેક જગાએ ત્રુટિત છે. ગમે તેમ પણ અત્યારે તે તે ઉલલેખો ઉપરથી નીચેની વાતો ફલિત થાય છે. ૧. તત્વાર્થ ભાષ્ય ઉપર હરિભદ્ર વૃત્તિ રચી, કે જે પૂર્વકાલીન અથવા સમકાલીન નાની નાની ખંડિત-અખંડિત વૃત્તિઓના ઉદ્ધારરૂપ છે; કારણકે, તેમાં તે વૃત્તિઓને યથોચિત સમાવેશ થઈ ગયા છે. ૨. હરિભકની અધૂરી વૃત્તિને યશભદ્ર તથા તેમના શિષ્ય ગંધહસ્તીની વૃત્તિને આધારે પૂરી કરી. ૩. વૃત્તિનું ડુપડુપિકા' નામ (ખરેખર જ તે નામ સાચું તથા ગ્રંથકારેએ રાખ્યું હોય તો) એ કારણે પડેલું લાગે છે કે, તે ટુકડે ટુકડે રચાઈને પૂરી થઈ, કેઈ એક દ્વારા પૂરી ન થઈ શકી.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy