SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અજપા જપ ર૮૧. છે. અહીં એ પણ જણાવી દઈએ કે હું એવા શબ્દો કાન પર પડતાં સર્પનું ઝેર ઉતરવા માંડે છે, એવી નેધ જૈન શાસ્ત્રોમાં થયેલી છે. એક ડોશીના પુત્રને સર્પદંશ, થયે અને ઝેર ચડતાં તેને પુત્ર બેહોશ થઈ જમીન પર ઢળી પડે. હવે તેના પુત્રનું નામ હંસ હતું, એટલે તે ડશી હંસ હંસ એમ પોતાના પુત્રને વારંવાર સંભારી રડવા લાગી. આ શબ્દો તેના પુત્રના કાન પર અથડાતા ગયા, તેમઝેર ઉતરતું ગયું અને છેવટે તે નિર્વિષ થઈ ગયે. જૈન પરંપરામાં તે વિષાપહાર મંત્રોને ઘણે ભાગે હંસમંત્ર જ કહેવામાં આવે છે. તાત્પર્ય કે સોહં ના જપમાં સૂર મંત્રનો જપ પણ સ્વાભાવિક જ થાય છે. સૌ શબ્દ સ + $ એ બે અક્ષરને બનેલું છે, પણ સઃ અને હું એ બેની સંધિ કરતાં પણ “મોડરું એ શબ્દ બને છે અને તે ઘણું અર્થગૌરવ ધરાવે છે. સઃ એટલે તે, અને હું એટલે હું તાત્પર્ય કે તે પરમાત્મા હું જ છું. આને વિશેષાર્થ એમ સમજવાને છે કે જે પરમ તત્વ સકલ બ્રહ્માંડમાં–અખિલ વિશ્વમાં વ્યાપી રહ્યું છે, તે જ પરમતવ મારામાં વ્યાપી રહ્યું છે. હું જે કે અત્યારે મેહ-માયાના બંધનને લીધે ભૌતિક દેહરૂપી પાંજરામાં પૂરાયેલ છું અને જીવાત્મા કે જીવ તરીકે ઓળખાઉં છું, પણ વાસ્તવમાં તે પરમાત્મા જ છું. જે મારાં અજ્ઞાનનાં પડળ હડાવી દઉં અને મેહ-માયાનાં બંધને તેડી નાખું તે પરમાત્મા તરીકે બિરાજી શકું છું. આત્મા તે જ પરમાત્મા છે.” અથવા “નર પિતાની કરણીથી નારાયણ થાય છે. એ સંતવચન સત્ય છે. . .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy