SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ જપનું તાંત્રિક અનુષ્ઠાન કરી શકાય. આ પુપ રેજ સવારમાં મેળવવાં જોઈએ અને -તેમાં તૂટેલાં કે ખરાબ ન આવે એ રીતે તેની ગણના કરવી જોઈએ. આ રીતે સવારમાં ૩૦૦૦ પુષ્પજપ સારી રીતે થઈ શકે. જે તેટલી શારીરિક શક્તિ ન પહોંચે તે ૨૦૦૦ પુષ્પજપ કરવા અને બાકી સાદા જપ કરવા. - આ રીતે સવાર, બપોર અને રાત્રિના મળી ૧૮૦૦૦ જપ પૂરા કરવા જોઈએ. અનુષ્ઠાનના છેલ્લા દિવસે જપસંખ્યા પૂરી કર્યા પછી મટી આરતી ઉતારવી જોઈએ અને તેની ખુશાલીમાં બ્રહાણે કે ગરીબને યથાશક્તિ જમાડવાં જોઈએ. બાળકોને મીઠાઈ વહેંચીને પણ તેની ખુશાલી મનાવી શકાય. - * મંત્રદેવતાની મૂર્તિ કે છબી, અખંડ દીપક વગેરેનું વિધિસર વિસર્જન કરવું જોઈએ. અનુષ્ઠાનના દિવસે માં ધંધા-વ્યાપારને ત્યાંગ કરે તથા સાંસારિક વાતોથી પર ન રહેવું. તે વખતે સમગ્ર ધ્યાન જપ ઉપર આપવું અને બાકીના સમયમાં સ્વાધ્યાય કરે. વળી આ દિવસમાં પાંચ વાગે જાગૃત થઈ નામસ્મરણાદિ સર્વક્રિયા કરવી કે જેનું સૂચન પૂર્વપ્રકરણમાં થઈ ગયેલું છે. આ દિવસમાં બ્રહ્મચર્ય અવશ્ય પાળવું અને અને ત્યાં સુધી જપસાધના માટે નક્કી કરેલા ઓરડામાં એક શેતરંજી પર ઓશીકું રાખીને પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ સૂઈ રહેવું. માત્ર શેતરંજી પર ન સૂઈ શકાય તે ઊનના ધાબળાને ઉપગ કરે. નિદ્રાધીન થતા પહેલાં મંત્ર ૨ - ઇ.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy