SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જય રા ૭ દિવસના અનુષ્ઠાનમાં કેટલે મંત્રજપ થઈ શકે ? એને આધાર મંત્રના અક્ષરે તથા જપમાં બેસવાની સ્થિરતા ઉપર છે. આમ છતાં છ દિવસમાં સવા લાખ મત્રને જપ સારી રીતે કરી શકાય કે જેના માટે મહિમા છે. ૧૪ દિવસના અનુષ્ઠાનમાં તેથી ખમણેા એટલે અઢી લાખ માંત્રજપ થઈ શકે અને ૨૧ દિવસના અનુષ્ઠાનમાં તેથી ત્રણ ગણા એટલે પેાણા ચાર લાખ મંત્રજપ થઈ શકે. ૨૪૬ અમે ત્રણ દિવસમાં લાખ-સવા લાખ મંત્રજપ કરનારા ોયા છે, પણ તેમની ઝડપ જોઈને વિચારમાં પડયા છીએ. કે આને શુદ્ધજપ કહી શકાય ખરા ? તત્રકારોએ તા તેમાં દ્રુત નામના દોષ માન્યા છે, એટલે તેનું નિવારણ કરવુ જોઈ એ. વળી જપ મંદગતિએ પણ કરવાના નથી. એટલે સમતિએ કરવા ઇષ્ટ છે. આ વસ્તુ ખ્યાલમાં રાખીને અમે ૭ દિવસમાં સવા લાખના નિર્દેશ કર્યો છે. અહી‘ એ પણ જણાવી દઇએ કે શ્રદ્ધા, શુદ્ધિ અને વિધિપૂર્વક થતા જપનું જ ખરૂ મહત્ત્વ છે, એટલે આપણે જે અનુષ્ઠાન કરીએ તે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક, પૂર્ણ શુદ્ધિપૂર્વક તથા તેના વિધિને ખરાખર અનુસરીને કરવું જોઈ એ આમાંથી એકપણ વસ્તુની ખામી હશે, તે તે અનુષ્ઠાન ધાયું ફૂલ આપી શકશે નહિ. ૭ દિવસમાં ૧,૨૫,૦૦૦ સવા લાખના હિસાબે ૧ દિવસમાં ૧૮૦૦૦ જપ કરવા જોઇએ. આટલા જપ એક એટકે ન થઈ શકે, એટલે સવારે અમુક, પારે અમુક
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy