SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જપ ક્યારે કરે? ૧૭૭ ઈચ્છતા નથી, પરંતુ તેમને પ્રેમભાવે પ્રશ્ન પૂછવા ઈચ્છીએ છીએ કે શું જપ–ધ્યાનાદિ કિયાઓનું મૂલ્ય આ વસ્તુઓ જેટલું પણ નથી ? જે આ બધી વસ્તુઓ મનનું રંજન કરે છે, તેને થાક ઉતારે છે, તો જપાદિ ક્રિયાઓ મનને સ્વસ્થ બનાવે છે, શાંત બનાવે છે, વિશેષ ચેતનવંતુ બનાવે છે અને ગમે તેટલું કામ કરે તે યે ન થાકે એવી અપૂર્વ શક્તિનું પ્રદાન કરે છે. આ દષ્ટિએ પાદિને પ્રથમ સ્થાન આપવું જોઈએ કે નહિ ? ખરી વાત એ છે કે આ - ક્રિયાઓનું વાસ્તવિક મૂલ્ય સમજાયું નથી, એટલે જ તેના પ્રત્યે ઉપેક્ષાભાવ વતે છે અને તે જીવનમાં સ્થાન પામી શકી નથી. આ જ પક્રિયા માટે સહુથી સારે સમય સવારના પાંચથી છે ને છે, કારણ કે ત્યારે મન વધારે સ્વસ્થ હોય છે આ વખતે હાથ-પગ-મેટું ઈને એક આસન પર બેસી જપ કરી શકાય. જે એ વખતે જાકિયા કરવાની અનુકલતા ન હોય તે છ થી આઠ કે સાડા આઠ સુધીમાં આ ક્રિયા કરી લેવી જોઈએ, પરંતુ એ વખતે નાહી ધોઈને બેસવું જરૂરી છે. આ સંગોમાં મનની સ્વસ્થતા - સ્વાભાવિક રીતે જ સારી હોય છે. .. શામાં જપ માટે ત્રિસસ્થાનું વિધાન આવે છે. આ ત્રિસધ્યા તે સૂર્યના ઉદયની આગળની તથા પાછળની એક ઘડી, મધ્યાહ્નના આગળની તથા. પાછળની એક ઘડી, અને સૂર્યના અસ્તની આગળની તથા પાછળની એક ઘડી.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy