SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મનની સ્થિરતા ૧૫ : બીજા દિવસે શાસ્ત્રીજી એક પિથી લઈને તેમના ઘરે આવ્યા અને એક ઊંચા આસન પર બેઠક જમાવીને કથા વાંચવાની શરૂઆત કરી. તેમાં તેમણે પહેલું વાક્ય વાંચ્યું : “નાદ ઉવાર-ભીમ બોલ્યાઃ” તે વખતે કથા સાંભળવા બેઠેલી ડોશીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા " તરફ ગયું, એટલે “હડહડ” કરતાં ઊભા થયા અને તેને લાકડી વડે ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકીને કથા સાંભળવા બેઠા. . . . . . શાસ્ત્રીજીએ ફરી વાંચ્યું “મીન્ન વવાર” પરંતુ તેમનું આ વાક્ય પૂરું થયું ત્યાં ડેશીની નજર રડા તરફ પડી. ત્યાં એક બિલાડી ધીમા પગલે દૂધની તપેલી તરફ જઈ રહી હતી, એટલે ડોશી “છી–છી” કરતા ઊભા થયા અને રસોડામાં બધું આઘુંપાછું કરીને કથા સાંભળવા બેઠા. - હવે શાસ્ત્રીજીએ ફરીને શરૂઆત કરી : “મી =વાર” એટલામાં ડેશીનું ધ્યાન પાસેની ગમાણ પર પડ્યું. ત્યાં વાછડે છૂટી ગયો હતો, એટલે “છુ-છુ” કરતા ઊભા થયા અને વાછડાને ઠેકાણે બા. ત્યાંથી આવીને ફરી કથા સાંભળવા બેઠા, એટલે શાસ્ત્રીજીએ કહ્યું : “મીક વાર પણ ડેશીને કંઈ ચેન ન હતું. તેનું મન અહીં-તહીં ભમ્યા જ કરતું હતું. આ વખતે તેની નજર છાપરા ભણી ગઈ. ત્યાં એક કાગડો “કા-કા” કરી રહ્યો હતો, એટલે ડોશી ઊભા થયા અને હાથમાં લાકડી લઈને તેને ઉડાડયો.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy