SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મનની સ્થિરતા ૧૪પ સત્સંગના ફલ અંગે એક રમુજી કથા એક વાર નારદજીએ શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે - “મહારાજ ! સત્સંગનું ફલે શું ?” શ્રીકૃષ્ણે કહ્યું: “મુનિરાજા આ પ્રશ્નનો જવાબ પેલે નરકમાં પડેલ જે સૌથી મેટા કીડે છે, તે તમને આપશે, માટે તેને પૂછો.” આ ઉત્તરને - શિરોધાર્ય કરી નારદજી પેલા નરકના કીડા પાસે ગયા અને - તેના સામું જોઈ પ્રશ્ન કર્યો કે “સત્સંગનું ફળ શું ? એટલે તે કીડે તરત મરણ પામ્યા. જવાબ તે બાજુએ રહ્યો, પણ તેના પ્રાણ છૂટી : ગયા, એટલે નારદજી વિચારમાં પડયા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું: “મહારાજ! તમે પણ ઠીક છે. તમે એવું બતાવ્યું - કે પૂછતાં જ પેલાના પ્રાણ ગયા. માટે મારી મજાક કરવાનું છોડી દઈ જે સાચી વાત હોય તે કહો.” શ્રીકૃષ્ણ ઠાવકા મોઢે કહ્યું : “ઠીક છે. પિલા માળામાં હમણાં જ એક પિપટનું બચ્ચું જન્યું છે, તેને જઈને પૂછે. એ તમને બરાબર જવાબ આપશે.” નારદજી તેમની પાસે ગયા. પેલું બચ્ચું આંખ ઉઘાડી તેમની સામે જોઈ રહ્યું. પછીં નારદજીએ જે પ્રશ્ન કર્યો કે તેના પ્રાણ પણ છૂટી ગયા. આથી નારદજી ભારે વિમાસણમાં પડયા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું: “મહારાજ! આ શો ગજબ છે? જેને પ્રશ્ન પૂછીએ તેના પ્રાણ છૂટી જાય છે. પેલા નરકના કીડાને પ્રશ્ન કર્યો તે તેના પ્રાણ
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy