SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ નામજપ કે નામસ્મરણ - ૯૩. ન બની જાય છે. પેલા ડેકટરે એક વાર તેના પેટમાંથી પાણી. કાવ્યું હતું અને તેને કંઈક આરામ લાગ્યું હતું, પણ પાછું પાણી ભરાઈ ગયું હતું. ત્યાર પછી બીજી વાર. પાણી કાઢવાનું પરિણામ પણ આવું જ આવ્યું હતું. | સામાન્ય રીતે ત્રીજી વાર પાણી કાઢયા પછી આવા: દર્દીઓ - જીવતા નથી, છતાં રાહતની ખાતર ત્રીજી વાર પાણી કાઢવાનું નકકી થયું હતું અને બીજા દિવસે તેને પ્રયોગ થવાનું હતું. પરંતુ દર્દીને હવે આ સારવારમાં શ્રદ્ધા રહી ન હતી. તેને ખાતરી હતી કે આ પ્રયોગ થયા. " પછી મારે તરત જ મરવાનું છે, એટલે તેણે અત્યંત શ્રદ્ધાથી. - લગભગ આખી રાત ઈશ્વરનું નામ સ્મર્યા કર્યું અને તેણે સવારે જોયું તો તેનું પેટ તન્ન સારું થઈ ગયું હતું. આ સમય થયે, એટલે આ ડોકટર તેને ત્યાં ગયા અને શરીર તપાસ્યું તો તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તે. લગભગ અવાચક બની ગયા. “આ શું ? ગઈ કાલે તેના પેટમાં લગભગ દશ રતલ પાણું હતું, તે ક્યાં ગયું ? અને. આ પિટ હતું તેવું શી રીતે થઈ ગયું ?” , દદી બાઈ ડોકટરની મૂંઝવણ સમજી ગઈ. તેણે કહ્યું - " ડોકટર! મને આ રોગની સાચી દવા મળી ગઈ છે. તે. છે પ્રભુના નામનું સ્મરણું. મેં લગભગ આખી રાત તેને.. પ્રયોગ કર્યો હતો, તેનું પરિણામ આવું આવ્યું છે.' : - ડેકટર સત્યપ્રિય હતું, એટલે તેણે આ ઘટના
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy