SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોને સતાવે છે તથા ધર્મ અને દેશને મોટું નુકશાન પહોંચાડે છે, તેમને દંડ દેવા માટે આ પ્રગો અસ્તિત્વમાં આવેલા છે. તાત્પર્ય કે તે અમુક સગોમાં અમુક રીતે જ કરવાના છે, એટલે સામાન્ય સાધકોએ તેનાથી દૂર રહેવાનું છે. બીજમંત્ર, મંત્ર અને માલામંત્ર એ રીતે પણ મંત્રના ત્રણ પ્રકારે માનવામાં આવ્યા છે, તેમાં અક્ષરની ગણના પ્રધાન છે. જેમ કે નવ અક્ષર સુધીના મંત્ર તે બીજમંત્ર, દશથી વીશ સુધીના મંત્ર તે મંત્ર અને તેથી વધારે અક્ષર સંખ્યાવાળા મંત્ર તે માલામંત્ર. પરંતુ અક્ષરેની ગણના કરવામાં કેટલાક સંપ્રદાય ઉષ્કારને અક્ષર ગણે છે, તે કેટલાક સંપ્રદાય ઋારની ગણના અક્ષરમાં કરતા નથી. દાખલા તરીકે “3 રિવાજે ના” એ ષડક્ષરી મંત્ર ગણાય છે, પણ “જી શી નાચ નઃ એ પંચાક્ષરી મંત્ર ગણાય છે. વળી મંત્રથી માત્ર દશથી વીશ વર્ણના વિશિષ્ટ સંજનવાળી જ રચના ગણવાનો પ્રચાર નથી અને માલામંત્રમાં છેવટના અક્ષરોની મર્યાદા નહિં દર્શાવેલી હોવાથી તેમાં આખા ગ્રથને પણ માલામંત્ર ગણવા જેવા પ્રસંગે આવે છે. દાખલા તરીકે શ્રીમદ્ ભગવદ્દગીતા ૭૦૦ શ્લોકનો એક તાત્વિક ગ્રંથ છે, તેને પણ માલામત્ર ગણવામાં આવે છે અને તેનાં ષિ, છંદ વગેરેનું વર્ણન કરવામાં આવે છે. પરંતુ મંત્રશાસ્ત્રનું જે પ્રચલિત છેરણ છે, તેના આધારે આખા થને મંત્ર કહી શકાય તેહિ. મંત્ર તે ચમક - પદ કે પદેની સારભૂત રચના હેય છે. "
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy