SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનાગમવારિધિ-જૈનધર્મદિવાકર પ્રધાનાચાર્ય પડિતમુનિશ્રી આત્મારામજી મહારાજ (પંજાબ) ના એ આચારાંગસૂરની આચારચિંતામણિ ટીકાપર આપેલ સંમતિપત્રને ગુજરાતી અનુવાદ. મેં પૂજ્ય આચાર્યવયે ઘાસીલાલજી મહારાજ) ની બનાવેલ શ્રીમદ્ આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનની આચારચિંતામણિ ટીકા સપૂર્ણ ઉપગપૂર્વક સાંભળી. આ ટીકા ન્યાય સિદ્ધાંતથી યુક્ત, વ્યાકરણના નિયમથી નિબદ્ધ છે. તથા એમાં પ્રસંગે પ્રસંગે કમથી અન્ય સિદ્ધાંતને સંગ્રહ પણ ઉચિતરૂપથી જણાઈ આવે છે. ટીકાકારે અન્ય તમામ વિષયે સમ્યક પ્રકારથી સ્પષ્ટ કરેલ છે. તેમજ પ્રૌઢ વિષયને વિશેષરૂપથી સંસ્કૃત–ભાષામાં સ્પષ્ટતાપૂર્વક પ્રતિપાદન અતિ મનેરંજક છે. એ માટે આચાર્ય મહદય ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું આશા રાખું છું કે જિજ્ઞાસુ મહેદ એના સારી રીતે પઠન પાઠન દ્વારા જૈનાગમ સિદ્ધાંતરૂપ અમૃત પીય પીયને મનને આનંદિત કરે. અને તેના મનનથી દક્ષજને ચાર અનુયેનું સ્વરૂપજ્ઞાન મેળવે. તથા આચાર્યવય આવી જ રીતે બીજા પણ જૈનાગમોના સ્પષ્ટતાપૂર્વક વિવેચન દ્વારા શ્વેતાંબર સ્થાનકવાસી સમાજ પર મહાન ઉપકાર કરીને યશસ્વી બને. વિ. સં. ૨૦૦૨ માગસર સુદી ૧ જૈનમુનિ-ઉપાધ્યાય આત્મારામ લુધિયાના (પંજાબ) શુભમતુ
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy