SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ३१ શ્રુત-ભકિત (પૂર્વ આચાર્ય શ્રી ઘાસીલાલજી મ॰ સાની આજ્ઞા અનુસાર લખનાર) ૬. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ તા. ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપૂજ્ય, જ્ઞાનદિવાકર ૫' મુનિશ્રી ઘાસીલાલજી મ૦ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર, અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિાધસ્વરૂપ કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના ઘોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પૌર્વાત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે, અને જિનવાણીના પ્રકાશ સસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ, સાથે પ્રકાશમાં લાવે છે. એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનંદના વિષય છે. ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણુધર મહારાજોએ શ્રુતપરંપરાએ સાચવી રાખ્યા શ્રુતપર પરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર–વળામાં તે આગમાને પુસ્તક રૂપે આરૂઢ કીઁ, આજે આ સિદ્ધાંતા આપણી પાસે છે. તે અર્ધમાગધી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધર્મભાષા છે. તેને આપણા શ્રમણેા અને શ્રમણીએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાએ મુખપાઠ કરે છે, પરન્તુ તેના અર્થ અને ભાવ ઘણા ઘેાડાએ સમજે છે. જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધમ સૂત્રેા છે. એ આપણી આંખેા છે. તેનેા અભ્યાસ કરવેા એ આપણી સૌની–જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણા સદ્ભાગ્યે જ્ઞાનદિવાકર શ્રી ઘાસીલાલ મહારાજે સત સંકલ્પ કર્યાં છે અને તે લિખિત સૂત્રાને પ્રગટાવી શાસ્ત્રાદ્ધાર સમિતિદ્વારા જ્ઞાન પરમ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યોંમાં સકળ જૈનોના સહકાર અવશ્ય હાવ ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ના કરવા ઘટે. ૯૦ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય ? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવાના અજ્ઞાનના નાશ થાય છે, અને તે સંસારના કલેશેાથી નિવૃત્તિ મેળવે છે, અને સંસાર કલેશાથી નિવૃત્તિ અને અજ્ઞાનના નાશ થતાં મેાક્ષની ફળની પ્રાપ્તિ થાય છે આવા જ્ઞાનકાર્યમાં મૂર્તિપૂજક જૈનો, દિગ ંબરા અને અન્ય ધર્મિ હજારી અને લાખેા રૂપીયા ખર્ચે છે. હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડો નહુિ પણ હજારે ટીકા ગ્રંથા દુનિયાની લગભગ સ` ભાષાઓમાં પ્રગટ થયા છે. ઈસાઈ ધર્મના પ્રચારકા તેમના પવિત્ર ધર્મ ગ્રન્થ માઈબલના પ્રચારાર્થે તેનુ જગતની સવ
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy