SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રને અદ્દભુત મહિમા અહીં થોડા શબ્દોમાં ઘણું કહેવાયું છે. એનું રહસ્ય સમજીએ તે આપણને નમરકાર માટે અતિ આદર કે બહુમાનની લાગણી થયા વિના રહેશે નહિ. આ જગતમાં ખનિવારણ અને સુખપ્રાપ્તિની ઈચ્છા કણુ નથી રાખતું? તેમ યશની શવિસ્તારની આશા કેને નથી ? કેટલાક વધારે સમજણવાળા લેકે એમ કહે છે કે સંસારમાં અનુભવાતાં સઘળાં દુખે ભવસમુદ્રને-ભવ- . પરંપરાને આભારી છે. જે ભવપરંપરા ન હોય, ભવ ન હોય તે જન્મ, જરા, રેગ કે મૃત્યુ વગેરે આપણને શી રીતે સતાવી શકે? તેથી અમે તે ભવસમુદ્રના શેષણની જ અભિલાષા રાખીએ છીએ. આ રીતે માનવજાતિના અંતરમાં પ્રેયસ અને શ્રેયસૂના બે પ્રબળ પ્રવાહ વહે છે. તેને પૂર્ણ કરવાનું સામર્થ્ય જે કોઈ એક વસ્તુમાં હેય તે એ નમસ્કારમાં છે, નમસ્કારમંત્રની આરાધનામાં છે. ધન, ધાન્ય, વિપુલ સંપત્તિ, કરચાકર, આલિશાન ઇમારતે, બાગ-બગીચા, હાથી-ઘડા, મોટર વગેરે વાહને કાલે તથા લેક પર અનેરું પ્રભુત્વ એ આ લેકનાં સુખ • મનાય છે તથા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થવું કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધશિલામાં વિરાજવું, એ પરલેકનાં સુખ મનાય છે. આ બંને પ્રકારનાં સુખનું મૂળ નમસકારમાં– નમસ્કારમંત્રની આરાધનામાં રહેલું છે. તાત્પર્ય કે જેઓ નમસ્કારમંત્રનું નિત્ય સ્મરણ કરે છે, તેને જપમાં મન બને છે તથા તેનું ધ્યાન ધરવામાં આનંદ માને છે, તેઓ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy