SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રસિદ્ધિ : નમસ્કારમંત્રને વિષય એટલે વિરાટુ અને એટલે ભવ્ય છે કે લેખકેને-વિચારકોને તે વિષે નવું નવું લખવાનું મન થયા જ કરે. આજ સુધીમાં ચંદ્ર અને સાગર પર કેટલાં કાવ્ય રચાયાં હશે? આમ છતાં હજી નવાં કાવ્યો રચાચે જ જાય છે અને ભવિષ્યમાં પણ રચાતાં જ રહેશે, કારણ કે એ વિષયે ભવ્ય છે, એટલે સંવેદનશીલ આત્મએનું આકર્ષણ ર્યા જ કરે છે. નમસ્કારમંત્ર વિષે પણ આમ જ સમજવું. તેના અંગે ભૂતકાલમાં ઘણું સાહિત્ય લખાયું છે, છતાં આજે નવું સાહિત્ય લખાય છે અને ભવિષ્યમાં પણ લખાતું જ રહેશે. વળી યુગે યુગે ભાષાનું ધોરણ બદલાય છે અને લોકોની મને ભૂમિકામાં પણ મોટું પરિવર્તન થતું રહે છે, તેથી પણ નવાં સાહિત્યની આવશ્યકતા રહે છે. જે નવા સાહિત્યનું સર્જન થાય નહિ તે લેકેને મોટો ભાગ તેની મહત્તા. જાણી શકે નહિ તથા તેના વાસ્તવિક રહસ્યથી વંચિત રહે, એટલે નમસ્કારવિષયક નવા સાહિત્યને સુજ્ઞજનોએ સત્કાર કરે જોઈએ અને તેમાં જે કંઈ પ્રમાણભૂત સામગ્રી પીરસાઈ હાય, તેનું ચીવટથી અધ્યયન કરવું જોઈએ. પ્રચલિત લોકભાષાને ઉપગ કરે, શૈલી સુગમ રાખવી અને પ્રતિપાદ્ય વિષયનું અનેક દાખલા-દલીલે સાથે. વ્યવસ્થિત નિરૂપણ કરવું, એ નીતિનું અમે ઘણુ લાંબા સમયથી અનુસરણું કર્યું છે, એટલે સહુ કેઈ સરળતાથી તેનું પઠન-પાન કરી શકશે અને તેનાથી લાભાન્વિત થઈ શકશે, એવી અમારી ખાતરી છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy