SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતા આ મુખ્યપદ પસંદ કરે, તેને સર્વત્ર રટો, અને જુઓ કે શ્રીપાળકુમારની જેમ તે કેવું લસોટાય છે! પછી ગમે તેવા ભયંકર કે વિકટ સંજોગોમાં, મૃત્યુની આખરી ચેતવણી (અલ્ટીમેટમ) વખતે પણ તમારા મનને તાર અરિહંત જોડે જ જેડાએ રહેશે. અને “ઓ ભા!” કે “ઓ બાપરે! યાદ ન આવતાં પ્રસ્તુત સાહજિક સંસ્કારના કારણે “અરિહંત” કે “નમો અરિહંતાણું'ના ઉગારે જ સરી પડશે. પ્રસ્તુત પ્રકાશન અંગે પ્રસ્તુત પ્રકાશન અગે કંઈક કહેવા માગું છું. મંત્ર કે વિદ્યાઓ એ આ દેશના લોહીમાં પ્રસરેલી બાબત છે, આનું આકર્ષણ માનવસ્વભાવમાં સદાય રહેવાનું છે. દરેક દેશમાં તેને આદર થયા છે ને તે ઉપર અનેક મોટા ગ્રન્થો રચાયા છે. પ્રાચીનકાલમાં ભારતીય વિદ્વાનોના હાથે ચારેક હજાર ગ્ર લખાયા હતા. આજે પણ સેકડે ગ્રન્થ વિદ્યમાન છે. ભગવાન મહાવીરના શિષ્યોએ પણ એમની હયાતિમાં વિદ્યામવીર નામને હજારે મંત્ર, તત્ર, યંત્ર અને વિદ્યાએથી ભરપૂર ગ્રન્થ એ હતું, જે આજે ઉપલબ્ધ નથી. હજારે વરસથી જૈનાચાર્યો પણ મંત્રશા રચતાં આવ્યા છે. તેની જોરદાર ઉપાસનાઓ કરીને અનેક સિદ્ધિઓ મેળવી અત્યાવશ્યક પ્રસગે ચમત્કાર પણ બતાવ્યા હતા અને જનતામાં ધાર્મિક શ્રદ્ધાનો વિસ્તાર વધારી નાસ્તિકને પણ આસ્તિક બનાવ્યા હતા અને શાસનપ્રભાવનામાં મહાન ફાળો આપ્યો હ. ૧. સરલતા ખાતર “અહિત” પણ ચાલે. • ૨, ભત્રવાદીને જૈનશાસ્ત્રમાં આઠ પ્રભાવકે પૈકીના છઠ્ઠા પ્રભાવક કહ્યા છે. જૂઓ-છો વિદ્યારે મંત્ર તણે બલી.” (યશોવિજયજી)
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy