SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય પદ ગુણ સ્થાને છે. પાંચેય ગુણી છે. ગુણ ગુણ વિનાને કદી હેત નથી. આ -પાંચેય સલ્લુણસાપન મહાત્મા છે. અહીં આ ગુણેથી સમગ્ર એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાદિ લેવાનાં છે. આ ગુણો ધર્મ સ્થાને છે. એટલે નિશ્ચિત થાય છે કે આ મહામંત્રની ઉપાસના કરવી, એ દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવા બરાબર છે. નવકારમંત્ર શબ્દાર્થથી કેવી રીતે શાશ્વત છે ? નવકારમંત્ર શાશ્વત છે, એટલે શું? શાશ્વતાપણું બે રીતે હોય છે. દ્રવ્યનું અને ગુણનું. એ જ રીતે શબ્દથી અને અર્થથી હોય છે. અહીં આ શબ્દાર્થ પૂરતો જ વિચાર કરવાનું છે. પ્રસ્તુત નવકાર શબ્દ, અર્થ કે શબ્દાર્થ એ ત્રણેયમાં શાથી શાશ્વત છે? એને જવાબ એક જ છે કે તે શબ્દાર્થથી શાશ્વત છે અર્થાત તે શબ્દ અને અર્થ ઉભયથી શાશ્વત છે. શબ્દથી શાશ્વતાપણું એને કહેવાય કે જે વણે, જે રીતે હેય તે વણે, તે જ રીતે ત્રણેય કાળમાં વિદ્યમાન રહે. નવકારમંત્રના અક્ષરે માટે એમ જ છે. જેમ કે...નમો અરિહંતાણું” આમાં નકારત્તર અકાર, અકારોત્તર કાર, મકારોત્તર કાર એટલે “નમો” પદ નિષ્પન્ન થયું. પછી અકારેત્તર રકાર, રકારોત્તર કાર, એમ “ણું” સુધી વિચારવું. આ જાતની અક્ષરાનુપૂવી અનાદિકાલ પહેલાં હતી, આજે છે અને ભવિષ્યમાં અનંતકાળ પછી પણ આજ રીતે રહેશે અને અર્થ તે શાશ્વતો છે જ. અહીંયા અગત્યની વાત સમજવાની એક જ છે કે અર્થથી શાશ્વત અનેક બાબત છે. દાખલા તરીકે દ્વાદશાંગશ્રુત (જૈનાગમશાસ્ત્રો) અર્થથી સદાય શાશ્વતું રહેવાનું છે, પણું શબ્દથી નહીં, શબ્દો બદલાયા કરે, જેમ કે–પાણી, જલ, વારિ, અર્થથી જોઈએ તે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy