SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ નમસ્કારમંત્રસિદ્ધિ જે પ્રયોગ કે કર્મથી વિરોધી વ્યક્તિઓના સમૂહમાં ફૂટ પડે અને એ રીતે તેમનું વિઘાતક બળ તૂટી જાય, તે વિદ્વેષણુકમ. જે પ્રયોગ કે કર્મથી સામી વ્યક્તિની માન~મર્યાદા તૂટે તથા તેને ગામ કે દેશ છોડવાનો વખત આવે, તે ઉચ્ચાટનકર્મ. જે પ્રયોગ કે કર્મથી મનુષ્યનું મરણ નિપજે, તે મારણકર્મ, અહીં એ સ્પષ્ટતા કરી દઈએ કે નમસ્કારમંત્રની સિદ્ધિ કરનારનું હૃદય વિશ્વમૈત્રીથી ભરપૂર હોય છે, એટલે તે કોઈ પણ પ્રાણુને પિતાને વૈરી કે દુશમન ગણતો નથી અને તેથી તેના પર કોઈ વિઘાતક પ્રોગ અજમાવતે નથી. એ તે તેનું પણ લ્યાણ થાઓ, એમ જ ઈચ્છે છે. આમ છતાં ધર્મ કે શાસનરક્ષાના વિકટ પ્રસંગે કોઈ પ્રયોગ કરવાની જરૂર જ પડે છે તે નિષ્કામભાવે કરે છે અને તે પ્રયોગ કરવા માટે પ્રાયશ્ચિત્ત પણ ગ્રહણ કરે છે. આ પ્રયોગ અંગે મંત્રવિજ્ઞાનના તેત્રીશમા પ્રકરણમાં અમે વિસ્તારથી ચર્ચા કરેલી છે, તે જિજ્ઞાસુએ અવશ્ય જોઈ લેવી. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે – चौरो मित्रमहिर्माला, वहिरिर्जलं स्थलम् । कान्तारं नगरं सिंहः, श्रृगालो यद् प्रभावतः ॥ જેના (નમસ્કારમંત્રના) પ્રભાવથી ચેરી કરવા આવેલ. ચોર મિત્ર બની જાય છે, સાપની પુષ્પમાલા બની જાય છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy