SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનવિધિ ર૭૯ “ચંદ્રમા સમાન ઉજજવલ અરિહંત, રક્તવર્ણના સિદ્ધો, કનક જેવા વર્ણવાળા આચાર્યો, મરક્તમણિની પ્રભા જેવા અર્થાત્ નીલ વર્ણવાળા ઉપાધ્યાયે અને યામ વર્ણના સાધુઓ અમને સુખ આપ.” તાત્પર્ય કે અરિહંતને શ્વેત વણે ચિંતવવા જોઈએ, સિદ્ધોને રક્તવણે ચિંતવવા જોઈએ, આચાર્યોને પતવણે ચિંતવવા જોઈએ, ઉપાધ્યાયને નીલવણે ચિંતવવા જોઈએ અને સાધુઓને શ્યામવર્ણ ચિંતવવા જોઈએ. અમે અક્ષરમય તથા પદમય ધ્યાનમાં જે રગેનું વિધાન કરેલું છે, તે આ પરંપરાને આધારે જ કરેલું છે. વળી નવપદજીના યંત્રમાં પણ પંચપરમેષ્ટીની સ્થાપના આ રંગે અનુસાર જ કરવામાં આવે છે, તેથી શાસ્ત્ર અને પરંપરા અને તેને ટેકે છે, એમ સમજવું જોઈએ. આજે રંગશાસ્ત્ર અને રંગચિકિત્સાશાસ્ત્ર ખૂબ આગળ વધ્યાં છે, તેનાથી એ વાત પુરવાર થઈ છે કે રંગની અસર મનુષ્યના મન–પ્રાણુશરીર પર ખૂબ ઊંડી થાય છે, તેથી અમુક પરમેષ્ઠીનું ધ્યાન અમુક રંગે કરવું, એમાં શાસ્ત્રીય સિદ્ધાતે રહેલા છે. શ્રી સિંહતિલસૂરિએ “મત્રરાજ-રહસ્યમાં કહ્યું છે કે શ્વેત વર્ણન અરિહંત રોગની શાંતિ માટે છે, રક્ત વર્ણના સિદ્ધો ત્રિલેકનું વશીકરણ કરે છે સુવર્ણ રંગના આચાર્યો જલ, અગ્નિ અને શત્રુના મુખનું સ્તંભન કરે છે,
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy