SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનવિધિ ૨૭૧ રૂપ અને લાવાયને ભંડાર હતી. તેનું નામ સુબુમાં રાખવામાં આવ્યું હતું. ચિલાતીપુત્ર આ બાલિકાને સારી રીતે રમાડતે હતે અને હરવા ફરવા લઈ જતો હતો. એમ કરતાં તેને એના પર અત્યંત સ્નેહ ઉત્પન્ન થયા હતા અને એનાં દર્શનમાત્રથી પણું અત્યંત આહૂલાદ થતું હતું. એવામાં કોઈ કારણસર ધનસાર્થવાહનું મન તેના પર નારાજ થયું અને નેકરીમાંથી છૂટો કર્યો, એટલે તે સુષમાને છેલ્લી સલામ ભરી વિદાય થયે. ત્યાર પછી તેનું જીવન એક રખડુ તરીકે પસાર થયું અને તેમાં જુગાર, મદ્યપાન તથા ચોરી જેવા ભયંકર વ્યસને લાગુ પડયાં. પરિણામે નગરજનેએ રાજાને ફરિયાદ કરી અને તેને નગરપાર કરવામાં આવ્યા. આ રીતે સર્વત્ર હડધૂત થયેલે ચિલાતીપુત્ર બીજે કઈ માર્ગ નહિ જડવાથી ચેરપલ્લીમાં ગયા અને અનુક્રમે પલીપતિને વિશ્વાસ સંપાદન કરીને તેને ઉત્તરાધિકારી થયે. એક વખત આ પલ્લીપતિ ચિલાતીપુત્રે પિતાના વિશ્વાસુ અને બહાદુર સાથીઓ સાથે રાજગૃહી નગરીમાં આવીને ધનસાર્થવાહના ઘરે ધાડ પાડી અને પુલ માલમત્તા ઉપરાંત સુષમાનું પણ હરણ કર્યું. આથી ધનસાવાહ પિતાના ચારેય પુત્ર તથા રાજ્યના કેટલાક સૈનિકે સાથે તેની પછવાડે પડયા અને તેને કોઈ પણ રીતે પકડી લેવાને જીવ સટોસટ પ્રયત્ન કરવા લાગ્યા. એમ કરતાં તેઓ ચિલાતી
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy