SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનવિધિ ૧૬૭ અન્યથા તેમાં પરિવતન થતું જણાશે, પરંતુ તેથી સાધકે મુંઝવાનુ નથી, તેણે પોતાની સમસ્ત ચર્યાંનુ સૂક્ષ્મ નિરીક્ષણ. કરીને તેમાં જે કંઈ ક્ષતિ રહેલી હાય, તે સુધારી લેવાની છે અને મનને શાંત તથા સ્વસ્થ મનાવવાનું છે. આ સ્થિતિ નિર્માણ થઈ કે અક્ષરમય ધ્યાન યથાર્થ રીતે થઈ શકશે. ' દરેક અક્ષર પર મનની કેટલી સ્થિરતા કરવી ?” તેના ઉત્તર એ છે કે પ્રાર'ભમાં વીશથી ત્રીસ સેકન્ડ જેટલી સ્થિરતા કરવી અને પછી તેમાં ધીમે ધીમે વધારો કરવા. અહીં એટલી સૂચના કરવી આવશ્યક છે કે એક અક્ષરનું ધ્યાન પૂરું' થયા પછી બીજા અક્ષરને સ્મૃતિપટ પર લાવવા. જો મન પર આ પ્રકારને કાબૂ નહિ હાય તા એકના ધ્યાન વખતે ખીને અક્ષર ફુટી નીકળશે અને ખીજાના ધ્યાન વખતે ત્રીજો અક્ષર ફુટી નીકળશે, અથવા તે આખુ ને આખું પદ્મ ખડૂ' થઈ જશે. આથી ચેાજના મુજબ ધ્યાન ધરી શકાશે નહિ અને આગળની ગતિ રુંધાઈ જશે. મંત્રના દરેક અક્ષર પવિત્ર છે, કારણ કે તે મંત્ર દેવતાના દેહ નિર્માણુ કરનારા છે, એમ સમજી અનન્ય શ્રદ્ધાપૂર્ણાંક દરેક અક્ષરનું ચિંતન કરવુ. થોડો અભ્યાસ થયા પછી આંખા ખાધ કરતાં જ આ દરેક અક્ષર સુંદર મરોડમાં સ્મૃતિપટ પર ઉપસી આવશે અને મનવૃત્તિ તેમાં સ્થિર થવા લાગશે. ત્યારબાદ એવા સમય પણ આવશે કે જ્યારે. આ અક્ષરાનું ચિંતન કરતાં જ તેમાંથી પ્રકાશનાં કિરણેા કુટતાં જણાશે અને બધા અક્ષરો જ્યેાતિમય બની જશે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy