SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જાવિધિ ૨૧૭ અને સૂર્યાસ્ત પહેલાંની તથા પછીની એક ઘડી. જે આ સમયે મંત્રજપ ન થઈ શકે તો પછીના અનુકૂળ સમયે કરી શકાય છે. તેમાં બ્રાહ્મમુહુર્ત એટલે પરેઢિયાને સમય તથા સવારના ૮ થી ૧૦ ને સમય વધારે પસંદ કરવા ચોગ્ય છે. ચિત્તની સ્વસ્થતાઃ પરંતુ અહીં એક સૂચના આપવી આવશ્યક છે કે મંત્રજપ માટે એ સમય પસંદ કરે છે જ્યારે ક્લાકથી દેઢ ક્લાક કે બે કલાક સ્વસ્થ ચિત્તે બેસી શકાય. જે ચિત્ત સ્વસ્થ નહિ હોય તે આંતરિક વિક્ષેપે આવ્યાજ કરશે અને તે મંત્રજપને ડહોળી નાખશે. અહીં પ્રાસંગિક એ પણ કહી દઈએ કે જેનું ચિત્ત અવસ્થિત નથી, એટલે કે અનવસ્થિત છે, તે મંત્રજપ કરવાને ચગ્ય નથી. તે અંગે શાસ્ત્રકારોએ ગમતી ડોશીનું દૃષ્ટાંત કહ્યું છે, તે ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે. મતી ડેશીનું દૃષ્ટાંત શ્રીપુર નગરમાં વસુનામે એક શેઠ હતું. તેને ગોમતી નામે સ્ત્રી હતી અને ધનપાલ નામે પુત્ર હતું. હવે વખત જતાં વસુ શેઠ મરણ પામે અને વડીલ તરીકેને સર્વ ભાર ગોમતી ડેશી પર આવ્યું. એ વખતે તેણે ધીરજ અને કુનેહથી કામ લેવાને બદલે ખૂબ જ કડવી વાણીને ઉપગ કરવા માંડયો અને તેથી ઘરમાં જ કંકાસ થવા લાગે. આથી એક વાર ધનપાલે કહ્યું કે “માજી! હવે તમારે ધર્મ કરવાના દિવસે છે, માટે બધી ફીકર-ચિંતા છેડીને ધર્મ.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy