SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૧] જપમાલા અંગે કેટલીક વિચારણ નમસ્કારમંત્રની સાધના કરનારે રોજ અમુક જપ કરવાનું હોય છે. તેની સંખ્યા ૫૦૦ થી તે ઓછી હતી જ નથી. વિશેષ જપ શક્તિ મુજબ થાય છે. આટલા જપની ગણના કરમાલાથી કરવાનું કામ કઠિન છે અને તેમાં ભૂલ પડવાને સંભવ છે, તેથી તેમાં પાર કે મણકાની બનેલી માળાને ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને માલા” જ કહેવામાં આવે છે, પણ અલંકાર રૂપી માલાથી તેની જુદાઈ બતાવવા માટે શાસ્ત્રકારોએ તેને સંક્ત જપમાલિકો કે જપમાલા તરીકે કરે છે. તે અંગે કેટલીક વિચારણા કરવી, એ પ્રસ્તુત પ્રકરણને હેતુ છે. ભારતના લગભગ બધા જ ધર્મસંપ્રદાયેએ પ્રભુસ્મરણ તથા મંત્રજપ કરવા માટે માલાને સ્વીકાર કરે છે. ઈસ્લામ તથા પ્રસ્તી ધર્મમાં પણ આવા જ હેતુસર અમુક પ્રકારની માલાઓ રાખવામાં આવે છે. આ પરથી એટલું તે નક્કી જ કે ઈસ્મરણ તથા મંત્રજપ કરવા માટે જપમાલા એક અતિ ઉપાગી સાધન છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy