SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મનું મહત્વ ૧૮૯ લક્ષણ કર્યું છે. વળી ત્યાં જપ ક્યાં કરે અને કેમ કરે? એ પણ દર્શાવ્યું છે. જે જપ એ મહત્વની વસ્તુ ન હોય તે. તેઓ આ પ્રકારનું વિધાન તથા વિવેચન શા માટે કરે? જપ” શબ્દ માત્ર બે અક્ષરેને જ બનેલું છે, પણ તેમાં અચિંત્ય શક્તિ ભરેલી છે. પંચનમુક્કારલમાં કહ્યું છે કે जो गणइ लक्खमेगं, पूएइ विहीए जिणनमुकारो। तित्थयरनामगुत्तं, सो बंधइ नत्यि संदेहो। જે એક લાખ નમસ્કારમંત્ર ગણે છે, એટલે કે તેને. જપ કરે છે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે છે, તે તીર્થકરનામત્રને બાંધે, એમાં કઈ સંદેહ નથી.” ઉપદેશતરંગિણુંમાં આ વસ્તુની વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમકે– यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रम, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्र जपेच्छ्रावकः । पुष्पैः 'वेतसुगन्धिभिश्च विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते जिनः स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् ॥ શ્રદ્ધાવાન અને ઈન્દ્રિયેને સારી રીતે જિતનારે એ જે શ્રાવક શ્રી જિનેશ્વરદેવમાં લક્ષ્ય બાંધવાપૂર્વક સારા મનવાળે થઈને સ્પષ્ટાક્ષરે એક લાખ નમસ્કારમંત્ર જપે છે તથા શ્વેત અને સુગંધિવાળા એક લાખ પુષ્પથી શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરે છે, તે વિશ્વપૂજ્ય એ તીર્થકર થાય છે.”
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy