SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકે યોગ્યતા કેળવવી ઘટે. ૧પણ ના એટલે શ્રી નમસ્કારમંત્રના કારણ લહે એટલે મૂળ હેતને પહોંચી શકે પરમેષિપદસાધનને મૂળ હેતુ સંસારમાંથી ત્રાણુ મેળવવાને એટલે ભવભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાને છે અને તે રક્ષણ ત્યારે જ મળે છે કે જ્યારે જન્મ-મરણની શંખલાને સદાને માટે અંત આવી જાય છે. નમસ્કારમંત્રની સાધના માટે આથી વધારે ગ્યતાની ભાગ્યે જ અપેક્ષા રાખી શકાય, છતાં પ્રાસંગિક સૂચન તરીકે એટલું કહીએ તે એગ્ય લેખાશે કે તેણે ભોજન સાત્વિક અને પરિમિત કરવું જોઈએ, નિદ્રાનું પ્રમાણ ઘટાડવું જોઈએ, ધર્મરૂપી અમૃતનું પાન કરવામાં તત્પર રહેવું જોઈએ, ગ્રહણ કરેલા વ્રતમાં દઢતા દાખવવી જોઈએ, ચતુર બનવું જોઈએ એટલે કે પરિસ્થિતિને ઓળખી તે પ્રમાણે ઉપાય જવામાં તત્પર રહેવું જોઈએ તથા મંત્રપદોની ગુરુ પાસેથી યથાવિધિ ધારણ કરવી જોઈએ.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy