SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ નમસ્કારમંત્રસિદ્ધિ ચંદ્રને આ રીતે તપ કરતાં જોઈને ભક્તિભાવથી નમસ્કાર કર્યા. પછી તેઓ ભગવાનની પાસે ગયા અને ભક્તિભાવથી વંદન કરીને ઉપદેશ સાંભળવા લાગ્યા. ત્યાં અવસર જોઈને તેમણે પ્રશ્ન કર્યો કે “હે ભગવન્ ! જ્યારે હું રાજર્ષિ પ્રસરચંદ્રને પગે લાગે, ત્યારે તેમણે કોલ કર્યો હેત, તે તેઓ. કઈ ગતિમાં જાત?” શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: “સાતમી નરકે આ ઉત્તરથી આશ્ચર્ય પામેલા મગધપતિએ ફરીને પ્રશ્ન કર્યો કે હે ભગવન્! જે તેઓ અત્યારે કાળ કરે તે કઈ ગતિમાં જાય?” ભગવાને કહ્યું: “સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય. આ જવાબથી વધારે આશ્ચર્ય પામેલા મગધપતિએ ભગવાનને પૂછયું : “પ્ર! આમ કેમ? એવામાં દુંદુભિ વાગવા લાગી અને જ્યનાદો થવા લાગ્યા. તે સાંભળીને મગધપતિએ પુનઃ પ્રશ્ન કર્યો: “પ્રભે આ દુંદુભિ શેની વાગી? અને આ જ્યનાદો શેના થાય છે? ભગવાને કહ્યું : “હે રાજન્ ! રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન થયું, તેથી દેવતાઓ દુભિ વગાડે છે અને જ્યનાદ કરે છે. • આ સાંભળી મગધપતિના મનમાં ગૂંચવાડે વધી ગયેતેમણે કહ્યું : “ભગવન! આ બધી ઘટના અતિ આશ્ચર્ય જનક લાગે છે. તે સમજાવવાની કૃપા કરે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy