SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રસિદ્ધિ (૮) તે મહાન અર્થવાળી હોય છે. (૯) તે પૂર્વાપર વાક્ય અને અર્થના વિધ વિનાની હોય છે. (૧) તે ઈષ્ટ સિદ્ધાંતના અર્થને કથન કરનાર તથા વક્તાની શિષ્ટતાને સૂચવનારી હેય છે. (૧૧) તે સંદેહરહિત હોય છે. . (૧૨) તે બીજાનાં દૂષણેથી રહિત હોય છે. (૧૩) તે અંતઃકરણને પ્રસન્ન કરનારી હોય છે. (૧) તે પદ અને વાની પરસપર સાપેક્ષતાવાળી હોય છે. ૧૫) તે અવસરેચિત હોય છે, એટલે કે દેશ અને કાલને અનુસરનારી હોય છે. (૧૬) તે વસ્તુસ્વરૂપને અનુસરનારી હોય છે. - (૧) તે સુસંબદ્ધ એટલે વિષયાંતરથી રહિત હોય છે. (૧૮) તે સ્વપ્રશંસા અને પરનિંદાથી રહિત હોય છે. (૧૯) તે પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરનારી હોય છે. (૨૦) તે ઘીની જેમ સ્નિગ્ધ અને ગોળની જેમ મધુર હોય છે. . (૨૧) તે પ્રશંસાને ચગ્ય હોય છે. (૨૨) તે બીજાના મર્મને ન ઉઘાડવાના સ્વરૂપવાળી હોય છે. - (૨૩) તે કથન કરવા ગ્ય અર્થની ઉદારતાવાળી હોય છે. (૨૪) તે ધર્મ અને અર્થથી યુક્ત હોય છે. (૨૫) તે કારક, કાલ, વચન, લિંગ વગેરેના વિપસ વિનાની હેય છે. (૨૬) તે વિભ્રમ, વિક્ષેપ વગેરે મનના દોષથી રહિત હોય છે. (૨૭) તે શ્રોતાઓના ચિત્તને અવિચ્છિન્ન આશ્ચર્ય ઉત્પન્ન કરનારી હોય છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy